SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ લબિ તણા ભંડાર પ્રાપ્તિ કરી. આત્મસંશોધન દ્વારા અર્થાત્ શુધ્ધ અધ્યવસાય દ્વારા મન:પર્યવજ્ઞાન પ્રગટ કર્યું. પૂર્વે પ્રાપ્ત કરેલુ શાસ્ત્રજ્ઞાન હવે આત્મજ્ઞાન રૂપે પરિણામ્યું. જૈન દર્શનની પ્રણાલી પ્રમાણે સમ્યગદર્શન પ્રગટ થતાં જીવનું જ્ઞાન પણ સમન્ બને છે. સમદર્શનની અપ્રાપ્તિમાં જીવનું સઘળું જ્ઞાન મિથ્યા ઠરે છે. ગૌતમસ્વામી ચૌદ વિદ્યામાં પારંગત હતા, પરંતુ ભગવાન પાસે આત્મબોધ પામ્યા પછી તેઓ ચૌદપૂર્વના રચયિતા જ્ઞાતા અને સ્વામી થયા. ચૌદપૂર્વનું જ્ઞાન સંસારનાં સમગ્ર સ્વરૂપનું જ્ઞાન. જેમાં આધિભૌતિક અને આધ્યાત્મિકજ્ઞાનની સર્વ અવસ્થાઓનો સમાવેશ ' અર્થાત વિશ્વની સર્વ વિદ્યાઓનું જ્ઞાન. સર્વજ્ઞ પરમાત્માના પ્રથમ બોધરૂપે ત્રિપદીનું શ્રવણ કરી ગણધરોએ દ્વાદશાંગીની રચના કરી, તેમાં બારમાં અંગમાં ને ચૌદપૂર્વનો સમાવેશ થાય છે. જે ગણધરો સૂત્રબધ્ધ કરે છે, તેથી તેઓ ચૌદપૂર્વી કહેવાય છે. ગોતમસ્વામી તત્ત્વની જિજ્ઞાસુ હતા. આમ તો મન:પર્યવશાનયુક્ત હતા. તેમનું જ્ઞાન ઉત્કૃષ્ટ કોટિનું હતું. પરંતુ તેઓ સરળસ્વભાવી હોવાથી તેમણે પરમાત્માને અનેકવિધ પ્રશ્નો પૂછીને વાસ્તવમાં તો જનકલ્યાણ કર્યું છે. સર્વજ્ઞના જ્ઞાનનાં ગૂઢ રહસ્યો તે દ્વારા પ્રગટ થયાં છે. વળી તેઓ જાણતા હતા કે પ્રભુના કેવળજ્ઞાન પાસે મારું જ્ઞાન તો આલ્પ જ છે. ગૌતમસ્વામી જેવા શાસ્ત્રજ્ઞાનમાં પારંગત હતા તેથી પણ સવિશેષ તો મનોભાવના પણ જ્ઞાતા હતા. સંશિ પંચેન્દ્રિયજીવોના મનના વિચારોને તે ઓ પ્રત્યક્ષપણે જાણતા હતા. મન:પર્યવજ્ઞાનની નિયમથી એ વિશેષતા છે. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004905
Book TitleLabdhitana Bhandar
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1992
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy