SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ ॐ ह्रीं नमो नाणस्स श्री सद्गुरुभ्यो नमः ભાવનાઓની ભૂમિકા "मैत्री निखिल सत्त्वेषु, प्रमोदो गुण शालिषु माध्यस्थमविनीतेषु, करुणा सर्वदेहिषु । धर्मकल्पद्रुमस्येता मूलं मैत्र्यादि भावनाः येर्न न ज्ञाता न चा भ्यस्ताः स तेषामति दुर्लभः" ॥ O સર્વ પ્રાણીઓને વિષે મૈત્રી, O ગુણવાનોને વિષે પ્રમોદ, O અવિનીતોને વિષે માધ્યચ્ય, O સર્વ દેહધારીઓને વિષે કરુણા. આ ચારે મેત્યાદિ ભાવનાઓ ધર્મકલ્પવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેનો અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ ચાર ભાવનાઓથી મનને ભાવિત કરવું તે શ્રેય છે. આ ચાર ભાવનાઓ આત્મવિકાસની સરળ શ્રેણી છે. આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર છે. આ ચાર ભાવનાઓ માનવને દૈવત્વ આપે છે. આ ચાર ભાવનાઓ વૈરાગ્યની સંતતિ છે. આ ચાર ભાવનાઓ મુક્તિમાર્ગની કેડીને કંડારે છે. આ ચારે ભાવનાઓ પ્રેમરૂપ, ધર્મરૂપ, ધર્મના મર્મરૂપ, ક્ષેમરૂપ અને નેમરૂપ (નિયમ) છે. ચૌમુખી ભાવનાઓનું હાર્દ મંગળકારી આ ચાર ભાવનાના પ્રણેતા અને ઉપદેખા તીર્થંકર છે. તેમના સમવસરણની રચના ચૌમુખધારી હોય છે. તેમ આપણા સત્વેષ મૈત્રી - ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004904
Book TitleSattveshu Maitri
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy