SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ .. ... .. જરા ઓછું આવતા, કોઈને ભાઈનું કહેવા માંડે ત્યારે જાણે ઝેર બધું ઓકી નાખે. ક્યાંક માર્ગે સામા મળે તો મોં ફેરવી લે. અને અહંકાર તો કેવો કે પાછો અન્યને સ્વની કુશળતા બતાવે અને ભાઈની ભૂલો, દોષોનાં ગાણાં ગાયાં કરે. તેમાં મોટા નાનાનો કોઈ ભેદ પણ ના મળે. કુટુંબના સ્નેહનું અને સંપનું આવું અવમૂલ્યન ? નંદિવર્ધન અને વર્ધમાન રમતા ત્યારે નંદિવર્ધન હાથે કરી હાર બૂલ કરી લેતા. અને વર્ધમાન પણ એમ જ કરતા. એટલે બંને જીતી જતા. આવો તેમનો સ્નેહ હતો. વર્ધમાનના સુખે સુખી એવા નંદિવર્ધન હતા. માતાપિતાના અવસાન પછી નંદિવર્ધન કહે ભાઈ આ રાજ આખુંયે તારું જ છે. તું તેને યોગ્ય છું. મોટાભાઈનું આવું ઉદાત્ત વલણ હતું. સામે નાના ભાઈનો વિવેક અને ત્યાગ અનેરો હતો. આપણી સમજમાં આ વાત બરાબર ઠસી જાય તો ભાઈ ભાઈ વચ્ચે સ્નેહનું સ્વર્ગ ખડું કરી દે. એ જીવોના જીવનમાં કેવી નિશ્ચિતતા અને નિઃસ્વાર્થતા હશે ? એકવાર જગા, બે ચારવસ્ત્રો, થોડું ધન પણ જતું કરવાનું ખમીર ગુમાવી બેઠેલા માનવી ! વિચારો, ખૂબ વિચારો, સુખ તમારી તદ્દન નજીક છે. તેને તમે વેરથી ઈર્ષાથી, ભેદથી, અહંકારથી કે સંકુચિતતાથી ગુમાવી ન દેશો. વર્ધમાન અને નંદિવર્ધનના જેવો પ્રેમ કેળવી સુખી થાવ. જગતમાં જન્મીને ધન, માન, યશ, વગેરે ઘણુંયે મેળવો પણ બંધુપ્રેમ તો મહાપુણ્યયોગે જ મળે છે, તેનું અવમૂલ્યન કરીને આ જન્મના આવા યોગને વ્યર્થ ન કરવો. વર્ધમાન સંસારત્યાગના માર્ગે વર્ધમાન બે વર્ષ ગૃહવાસમાં રોકાયા. તેમણે અવધિજ્ઞાનથી જાણ્યું કે હજી બે વર્ષનો સંસારનો યોગ છે. પણ તેમણે સંસારને તો ક્યારનો થ ત્યજી દીધો હતો. ફક્ત બાવિધિ બાકી હતી. તેઓ એ બે વર્ષ જાણે આગામી જીવનની તૈયારી કરતા હોય તેમ અલિપ્તભાવે રહ્યા. સાધુ ન થયા પણ સાધુજીવન જરૂર ગાળ્યું. ધ્યાન અને એકાંતવાસમાં ૮૦ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy