SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ક ODADOR M WWAMASADA RODADAMANSARDAMO કે ભલે તમે સાચા સુખની શોધમાં જાવ, મોક્ષને પ્રાપ્ત કરો, તમારા માર્ગમાં બાધક નહિ બનું; પણ પાછળ ચાલવા પ્રયત્ન કરીશ. ઉદાર અને સંસ્કારી યશોદાએ પતિની સાધનામાં સાથ આપ્યો. તેમના એકાંતમાં કંઈ પણ અગવડ થવા ન દીધી. આ હતું સાચું દાંપત્ય અને સ્ત્રીનું સત્ત્વ. વળી વર્ધમાનને વરેલી એ નારીમાં વિષયવાસના ક્યાંથી ટકે? વર્ધમાનનું અસ્તિત્વ જ વાસનાના વિસર્જનને વરેલું હતું. પ્રભુભક્તિમાં સાચો સાધક વાસનાના વિષથી મુક્ત રહે છે. વાસનાઓ તેમને ત્યજી દે છે. હે માનવ ! વર્ધમાનને વરેલી યશોદાને, જગતના જીવોને દુર્લભ એવું સત્ત્વ પ્રાપ્ત થયું હતું. લાખો જન્મ ન જિતાય તેવી આ વિષયવેલ વર્ધમાનના સાનિધ્યમાં સ્વયં સુકાઈ ગઈ હતી, તેવું સત્ત્વ યશોદા પામ્યાં હતાં. એકવાર તો વિચારી જુઓ કે વિષયોના અંશો પણ કેવા છેતરામણા અને લોભામણા છે, તો પછી પૂરું જીવન વિષયને આધીન થાય તો તે કેવા બિહામણા સ્વરૂપે જીવનને પશુતામાં ઘસડી જાય છે. અનાદિના સંજ્ઞાબળો અને વિષયભોગ છૂટે તેવો યોગ મહાપુણ્ય મળે, જિજ્ઞાસુ જીવોને આ વાત સમજાય છે. યશોદા વર્ધમાનને વરીને દુઃખી ન હતાં પણ તેના ટૂંકા ગાળાના સાન્નિધ્યમાં પણ તેણે વર્ધમાનની નિર્દોષ અમીધારા વડે સાચા જીવનને પોષણ આપ્યું. જગતના જીવો એવા દાંપત્યનું લક્ષ્ય કરી જીવનને નિર્દોષ બનાવે તો સુખ પ્રગટ થાય. જે માતાપિતાની સેવા અને ગૃહવાસથી હિતશિક્ષા લગ્ન થયાં, એક હતા બે થયાં ? ના, એમ નથી પણ પરિવાર વિશાળ થયો. વર્ધમાનનાં લગ્ન થઈ ગયાં. પત્નીને સ્નેહથી જોવી, તેની સુખાકારી સાચવવી તે પતિની ફરજ છે. પણ સંસારમાં કેવળ પતિપત્ની જેટલું જ સંકુચિત જીવન નથી. જીવન વિશાળ છે, પુષ્પપાંદડીઓના | ૭૬ ૪ હિતશિક્ષા wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww DAARDOOR MANNAMMA ના રોજ જનરલ ન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy