SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ONDAS NAMAMS MACR O મારવું છે. યશોદાને સમજ પડતી નથી કે મૃત્યુ કેમ મરે ! તે જન્મને જાણે છે તેવી રીતે મરણને જાણે છે, જન્મ જિતાય ક્યારે મરણ મરે ત્યારે. એક દિવસની વાત છે. માતાપિતા વૃદ્ધાવસ્થાને વર્યા છે, વર્ધમાન માતાપિતાને ધર્મ પમાડી રહ્યા છે. માતાપિતાને વર્ધમાન પ્રત્યે અતિ સ્નેહ છે, પણ વર્ધમાન જ્ઞાની હોવાથી તેમને તે નેહબંધનથી મુક્ત કરવાનો બોધ આપે છે. માતાપિતાને એ બોધ સ્પર્શી જાય છે, અને સંસારભાવથી મુક્ત થઈ સમતાથી સમાધિમરણને પામી દેવલોકમાં ઉત્પન્ન થયા. ત્યાર પછી મનુષ્યભવ પામી મુક્તિ પામશે. રાજવંશીઓની પ્રણાલિ પ્રમાણે રાજારાણીની અંતિમ-સંસ્કાર-ક્રિયા થઈ. જનપ્રિયત્વ ધરાવતા રાજારાણીના વિયોગે નગરમાં શૂનકાર વ્યાપી ગયો છે. રાજકુળ શોકમગ્ન છે. વર્ધમાન મૃત્યુના રહસ્યને જાણે છે. સાંજ ઢળી છે. વર્ધમાન પોતાને આવાસે આવે છે. યશોદા જુએ છે; પતિના મુખ ઉપર ઘેરી ઉદાસીનતા છવાઈ ગઈ છે. પતિની આવી પળોથી તે મૂંઝાય છે, ત્યારે વર્ધમાન તેના તરફ નિર્દોષ સ્નેહથી સમજાવે WASAMBASSADOR મ JORGONOOMOO BANGSAAM યશોદા ! જીવન પછી મૃત્યુ એ જગતનો નિયમ છે. મારે મરણને મારવું છે. અને તે સંસારમાં રહીને શક્ય નથી.” સ્વામી ! સંસાર તમને રોકે છે?” વર્ધમાન : “ના, સંસાર મને રોકતો નથી પણ, સંસાર અને મોક્ષ બે સાથે બનતાં નથી. મોક્ષ થાય ત્યારે જીવનમરણ ટળે છે. એ માટે સંસારનો ત્યાગ જરૂરી છે. અને હવે તેનો સમય પાકી ગયો છે.” યશોદાની સમજમાં આવી ગયું કે હવે સ્વામીને કોઈ રોકી શકશે નહિ. તેથી શક્ય તેટલું પતિના માર્ગને અનુરૂપ થવાનું તેણે યોગ્ય માન્યું. વર્ધમાનની ઉદાસીનતા અને યશોદાનો તેમના પગલે ચાલવાનો પ્રયાસ, એમ દિવસો વ્યતીત થયા. રાજપરિવારને વર્ધમાનની ચર્ચા પસંદ નથી. પણ સૌ નિરુપાય હતા. વર્ધમાન વૈરાગ્ય-વેગે વધી રહ્યા WANAHAN બનાવવાની જવાબoooooooooo કરન જ કરવાના ૭૪ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy