SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ આંબી દેશે. વર્ધમાન નીડરપણે તેના ખભા પર બહાદુરીથી બેઠા રહ્યા. અન્ય બાળમિત્રો આ જોઈને હેબતાઈ ગયા, અને છુપાઈ ગયા. કોઈક તો રાજમહેલે સમાચાર આપવા દોડી ગયા. માતાપિતા બાળકોનાં તોફાનથી મૂંઝાતાં હોય છે, બાળકને કંઈ થઈ જશે તેની નિરંતર ચિંતામાં હોય છે. રાજારાણી સમાચાર જાણીને ગભરાઈ ગયાં. પણ આ શું? વર્ધમાને લાગ જોઈને એ રાક્ષસના માથામાં એક મુઠ્ઠી મારી, કે રાક્ષસ જમીન માપી ગયો અને બાળકના પરાક્રમનો પરિચય કરી ભાગી ગયો. ત્યારે ઇન્દ્રરાજે વર્ધમાનકુમારનું નામ મહાવીર પાડ્યું. એ કાળે દેવો પોતાની લબ્ધિ વડે ઘરતી પર આવીને આવી અનેક પ્રકારની ચેષ્ટાઓ કરતા. પણ ઉત્તમ માનવોની શક્તિ પાસે તેઓ રાંક બની જતા. જેમને ઉત્તમ જીવોનો મહિમા ખબર છે તેઓ તો તેમનું દાસત્વ સ્વીકારીને ધન્ય બની જતા. ભાઈ આવી કેળવેલી શારીરિક શક્તિ અને મનોબળ યુવાની સુધી ટકે, અને ન પણ ટકે. પરંતુ આ બાળકનું બળ તો પૂર્વે સેવેલા તપ અને અહિંસા જેવા ધર્મની ફળશ્રુતિરૂપે હતું. જેણે જગતના જીવોને નિર્ભય કર્યા છે. તે સ્વયં નિર્ભય હોય છે. જ હિતશિક્ષા : વર્ધમાનનું બાળપણ એ બાળપણ ન હતું. મિત્રો સાથે રમ્યા. પણ સૌ પત્યે નિસ્પૃહ ભાવ, નીડરતા એ તેમની જીવની લબ્ધિ હતી. રમતમાં તેમણે મિત્રોને નીડરતાના પાઠ શિખવાડી, આત્મશક્તિનું રહસ્ય ખોલી આપ્યું. એ નિર્ભયતા વૈરાગ્યમાંથી જન્મે છે. વનવિહારે જતાં મિત્રોને અહિંસાના પાઠ ભણાવતા, પણ તેમની સોબતે રંગાઈ જતા ન હતા. વનના નિર્દોષ જીવોને જોતાં અને તેમના પ્રત્યે પ્રેમ દર્શાવતા. માતાપિતાનો વિનય સાચવતા; કે તેમના સુખમાં પોતાનું સુખ માની તેમની આજ્ઞામાં વર્તતા અને તેમના સુખ ખાતર બ્રહ્મચર્યના હિતશિક્ષા : ૭ ગામના નારણકાકાના નાનકડા ર - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy