SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યર્થ કરે છે. તિર્યચપણે ઉત્પન્ન થઈ બધા જ ભોગોનો બદલો દુઃખરૂપે પ્રગટ થાય છે. સમતિ સહિત દેવો આય પૂર્ણ કરી માનવજન્મ પામવા માટે ઝંખે છે, માનવજન્મ પામીને સંયમમાર્ગને આરાધીને સદાને માટે મુક્ત થઈ અનંત સુખ પામે છે, માટે દેવલોકના સુખને ઇચ્છવા કરતાં દુઃખે કરીને પણ સમતિની પ્રાપ્તિ કરવી ઉત્તમ છે. ભવ સત્તાવીસમો : ભગવાન મહાવીર 4SGADAAAAAAA ભગવાન મહાવીરનો આ અંતિમ ભવ હતો. આ જગત સાથે તૃણમાત્રની પણ લેણદેણ પૂર્ણ થવાની હતી. પછી ન જન્મ, કે ન મરણ, કેવળ અનંત અનંત સમાધિસુખ પ્રાપ્ત થવાનું હતું. પણ કર્મની વિચિત્રતા ભારે છે. વિમલકુમાર અને નંદનમુનિના ભવમાં ઉગ્ર તપશ્ચર્યા, જ્ઞાન આરાધના છતાં શું બાકી રહ્યું હતું ? ત્યારે કર્મોને ખપી જવામાં શું વાંધો હતો કે મહાવીરપણે રહીને ઉગ્ર ઉપસર્ગો સહેવાના થયા? ભાઈ ! વિશ્વ સંપૂર્ણપણે નિયમને આધીન ચાલે છે. કાળ અને - કર્મ સમય માત્ર ફેરફાર કરી લેતા નથી કે કોઈ કરી શકતું નથી. કર્મનો ઉદયકાળ ન હોય તો તે જીવને ફળ આપી શકતું નથી. અને ઉદયકાળ આવે એક નિમિષમાત્રનો ફેરફાર થતો નથી. તે ફળ ભોગવનાર રાજા હો કે રંક હો, સમ્રાટ હો કે સંત હો, સ્ત્રી હો કે પુરુષ હો, નર હો કે નારાયણ હો, ઉત્કૃષ્ટપણે બાંધેલાં કર્મ ભોગવ્યા વગર છૂટકો થતો નથી. જો વિશ્વમાં કેવળજ્ઞાન જેવું રહસ્ય ન હોત તો આવાં સૈકાલિક ગૂઢ ર માનવીના લક્ષ્યમાં આવ્યાં જ ન હોત. અદ્ભુત છે કેવળજ્ઞાનનું સ્વરૂપ, જનું વર્ણન કરવા જ્ઞાનીઓ પણ સમર્થ નથી, કારણ કે તે અનુભવ સ્વરૂપ ગૂઢ તત્ત્વ છે. ભરતક્ષેત્રમાં ક્ષત્રિયકુંડ નામનું નગર હતું, ત્યાં પ્રજાવત્સલ સિદ્ધાર્થ હિતશિક્ષા જ પપ નર નારાજ ' - ક . - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy