SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ છવ્વીસમો : પુષ્પોત્તરા વતંસક દેવલોકમાં જન્મ પ્રાણત નામના દસમા દેવલોકમાં પુષ્પોત્તરા વતંસક દેવલોકમાં જન્મ થયો છે. દેવલોકમાં સુખભોગાદિની ઉત્તરોત્તરો વૃદ્ધિ થતી જાય છે. અને વિષયસુખભોગની વાસના ઘટતી જાય છે. જેમણે પૃથ્વી ૫૨ સંયમ પાળીને વિશેષ વિશુદ્ધિ આરાધી હોય છે તેઓ ઉપર ઉપરના દેવલોકમાં ઉત્પન્ન થાય છે. જો કે અભવ્ય જીવો સંયમની આરાધના કરી નવ ગ્રેવેયક સુધી જાય છે. તેમાં પણ ઉત્કૃષ્ટ સંયમનું આરાધન છે. ફક્ત મોક્ષાર્થભાવ નથી તે અભવ્યતા છે. નીચેના દેવલોકમાં સ્ત્રી આદિ સાથે ભોગના પ્રકારો હોય છે. ઉપરના દેવલોકમાં તેવી પ્રકૃતિ અને યોગ હોતા નથી છતાં અન્ય સુખભોગની પ્રચુરતા હોય છે. પંરતુ જે મુનિજનોએ આત્માર્થે સંયમ પાળ્યો હોય છે તેમને આ સુખો બાધક લાગે છે. તેઓ અવધિજ્ઞાનમાં પૂર્વે સાધેલો સંયમને જાણે છે અને તેવા સંયમને ઇચ્છે છે. આથી અપાર ઐશ્વર્ય છતાં કલ્યાણકોમાં ભક્તિ દ્વારા પોતાની ભાવનાને અને પ્રાપ્ત સમકિતની રક્ષા કરે છે. નંદનમુનિનો જીવ દેવલોકના વીસ સાગરોપમના દીર્ઘ આયુષ્યકાળને પૂર્ણ કરી, હવે સંયમને તલસતો તે જીવ મનુષ્યલોકમાં અવતરશે. એ દેવલોકની સમૃદ્ધિ સાંભળો, નંદનમુનિ એક અંતર્મુહૂર્તમાં મહર્દિક દેવ થયા. દશમા દેવલોકમાં પુષ્પોત્તર નામના વિસ્તારવાળા વિમાનમાં ઉપપાદ શય્યામાં ઉત્પન્ન થયા. એક અંતર્મુહૂર્તમાં તે મહર્દિક દેવ થઈ ગયા. પછી પોતાની ઉપર રહેલા દેવદૃષ્ય વસ્ત્રને દૂર કરી શય્યામાં બેસીને જોયું તો અકસ્માત્ પ્રાપ્ત થયેલ વિમાન, દેવસમૂહ અને મોટી સમૃદ્ધિ જોઈ તે વિસ્મય પામી ગયા. અને વિચારમાં પડ્યા કે આ બધું કયા તપથી મને પ્રાપ્ત થયું છે ?'' પછી અવધિજ્ઞાનથી જોતાં તેમને પોતાનો પૂર્વ ભવ અને વ્રત યાદ આવ્યાં. તેથી તેમણે ચિત્તમાં ચિંતવ્યુંકે ‘અહો ! હિતશિક્ષા ૪ ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy