SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ જો તમે સુખરૂપે ભોગવો તો તમારું પુણ્ય હીન કરે અને દુઃખનો અનુભવ કરાવે. આવો બોધ જેને પરિણમ્યો છે તે સુજ્ઞજનોએ કાળ, કે કર્મનો ભરોસો રાખ્યો નહિ; પણ સ્વાધીનપણે વર્યાં તેમને કાળ જીતે તે પહેલાં તેમણે કાળને આંતરી લીધો. તેમને કર્મ જીતે તે પહેલા તેમણે તેના મૂળનો – અજ્ઞાનનો નાશ કર્યો. જે જીવ કાળ અને કર્મને જાણતો નથી. તે તેમને જીતી પણ શકતો નથી. અને કાળ ક્યારે તેને ઊંઘતો ઝડપી લે છે તેની તેને ખબર પડતી નથી. કર્મનાં સૂક્ષ્મ અને આશ્ચર્યજનક પરિણામોને જીવ જાણતો નથી, તેથી જ્યારે તેને કર્મ વિવશ બનાવે છે ત્યારે તેને ભાગ્યે તો રડવાનું જ રહે છે. મરિચિના જીવનથી થોડા ભવો આવું કંઈ બનતું રહ્યું. કુળમદનું કર્મ વિપરીતપણે પરિણમ્યું ત્યારે તે જીવ સર્પ, જંતુ, સિંહ, નરક જેવાં હલકાં સ્થાનોમાં ઊપજ્યો, તાપસ જેવા ધર્મને પામી, મૂળ ધર્મથી દૂર રહ્યો. પરંતુ એકવાર સમક્તિને આરાધ્યું હતું, તે આત્મપરિણતિએ તેને સમય થતાં આ ભવપટ્ટણમાંથી શોધી કાઢ્યો અને યોગ્ય માર્ગે ચઢાવી દીધો. વિમલકુમારના જન્મમાં વળી સમકિતને ધારણ કરી લીધું. ચક્રવર્તી છતાં પ્રિય મિત્રે સંસારનો ત્યાગ કરી સંયમને ધારણ કર્યો. અને સમક્તિને પરિપક્વ કર્યું. જો કે ચક્રવર્તીપદ પામીને પાપઆલોચના માટે સંયમને ધારણ ન કર્યો હોત તો તે જીવ સીધો પાતાળના અધોલોકમાં પહોંચી જાત, પણ તે જાગૃત જીવે તેમ ન કરતાં ઉપરનાં સ્થાનો પ્રત્યે પ્રયાણ કર્યું. wwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwwww AMADO ભવ ચોવીસમો શુક્રદેવલોક પ્રિય મિત્ર મુનિનો જીવ કાળધર્મ પામી શુક્રદેવલોકમાં સર્વાર્થ નામના વિમાનમાં ઉત્પન્ન થયો. દીર્ઘકાળ સુધી સુખ ભોગવી તે નંદકુમાર તરીકે માનવજન્મ પામ્યો. હિતશિક્ષા # ૪૭ કાકા કાવતરnકનારાજ કરવા વાળા વાહon Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy