SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ અe સંસારનો ત્યાગ કરી નીકળવાનું સાહસ કર્યું હતું. તાપસ જીવન સ્વીકારીને સગવડોથી રહેવા લાગ્યા પરંતુ પાછા સંસારમાં ગયા નહિ. પોતે સુખસગવડ માટે તાપસવેશ ગ્રહણ કર્યો છે. પણ તે ભગવાનની આજ્ઞા વિરુદ્ધ છે, તેથી કોઈ જીવને બોધ આપીને કહેતા “ધર્મ' તો ભગવાન પાસે છે. કોઈને શિષ્ય કરતા નહિ. અને નિયતિએ એકવાર તેમને ભૂલથાપ આપી દીધી; શિષ્ય પ્રાપ્તિના મોહે સત્યને ચૂકી ગયા. એકવાર પગ લપસ્યો પછી પૂરી નિસરણી ગબડી જવાય છે. ત્યાં વળી બીજો પ્રસંગ બન્યો, ભરતચક્રવર્તીએ વંદન કર્યા. પ્રથમ દેહના મમત્વથી મનમાની સગવડો ઊભી કરી, પછી મોહથી શિષ્યનો સ્વીકાર કર્યો. અને હવે કૂળમદે ઘેરી લીધા. જગતમાં જેમ જીવ ત્રિવિધ તાપથી પીડાય છે તેમ મરિચિ મમત્વ, મોહ અને મદથી ઘેરાઈ ગયા. નિયતિએ એવો ફટકો માર્યો કે પરમાત્માસ્વરૂપે પ્રગટ થવાના બધાં જ સવળાં નિમિત્તો છતાં પાસા અવળા પડ્યા. પિતામહ ભગવાનરૂપે મળ્યા. સંયમનો માર્ગ મળ્યો. તે નિમિત્તથી તે જ ભવમાં મુક્ત થઈ જાય, પરંતુ એ જીવનવિકાસ બ્રહ્મદેવલોકના સુખ સુધી આવીને અટકી ગયો. શાશ્વત સુખ દૂર ધકેલાઈ ગયું. અને પેલી ભૂલોને સુધારવા અનેક જન્મો ધારણ કરવા પડ્યા. સંસારી જીવો દેહવાસનાથી માયાપ્રપંચ કરે છે. અને તેમાં જ સુખ છે, તેમ મિથ્યાભાવમાં સંસારની વૃદ્ધિ કરે છે, વળી સંસારી મનુષ્યને કેટલાં મૃગજળ? ધનનું, ઘાનનું, અલંકાર, માન, કીર્તિ, મોટાઈ, પુત્ર, પરિવાર, એમાં જ ઘેરાઈ જાય છે. અને પછી તો ધનઐશ્વર્યના મદમાં પૂરો ફસાઈ જાય છે. આંખની પલકમાં માનવજન્મ પૂરો થાય છે. ચેતી જા ભાઈ ! આવા સાહસિકોની આ દશા થઈ તો તારી પાસે તો કંઈ આત્મિકબળની મૂડી જ નથી, તારું શું થશે ? બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે ભવચક્રનો આંટો નહિ એક ટળ્યો. ક નાના-નાના નાના નાના નાના નાના- નાના ક | હિતશિક્ષા જ ૧૫ - વાવ વાવવાની www . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy