SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ તેને છોડાવી શકાતો નથી. પરંતુ આ યુક્તિઓમાં નિષ્ફળ જતાં તેને અત્યંત ખેદ થયો. “મારા પૂર્વ દુષ્કૃત્યને ધિક્કાર છે. મેં અજ્ઞાનરૂપી અંધકારમાં કેવો ભયંકર દોષ કર્યો છે, કે જે વ્યર્થ થશે નહિ. વળી ભગવાનની વાણી પણ અન્યથા ન હોય” આમ વિચારી તેને ભગવાન પ્રત્યે અત્યંત ભક્તિ ઊપજી. અને ભાવશુદ્ધિ તથા આત્મસંશોધન દ્વારા સમકિતને દૃઢ કર્યું, ભલે હવે નરકગામી થાય પણ શ્રેણિક નિર્ભયતા પામ્યો. કે કરેલાં કર્મ સમતાથી ભોગવીને ભગવાને કહ્યું છે તેમ ભગવાનરૂપે પ્રગટ થઈશ. હિતશિક્ષા હે મહાનુભવો ! શ્રેણિકનું દૃષ્ટાંત આપણને ઘણું પ્રયોજનભૂત છે. સત્તાના મદમાં આવીને દૂર કર્મ કરવાથી કર્મસત્તા તમને છોડતી નથી. કર્મ બાંધતી વખતે શ્રેણિક સમ્રાટ હતો. અને જ્યારે તે કર્મ ઉદયમાં આવ્યું ત્યારે રાંક એવો નરકગામી થયો, જ્યાં કોઈનું રક્ષણ મળે તેમ નથી. બે યુક્તિમાં નિષ્ફળ થયા પછી શ્રેણિકની ચેતના જાગૃત થઈ ગઈ. તેણે ભગવાનમાં અનન્ય શ્રદ્ધા સ્થાપિત કરી; જેના વડે તે આત્મસંશોધનના માર્ગે જઈ શક્યો, જે તેના નરકના દુઃખમાં પણ સહાયક થશે. ભલે અપરાધ થાય, પણ તેના પ્રત્યે જાગૃત થઈ જાવ. જેથી પુનઃ તે ભૂલની પરંપરા ન ચાલે. થયેલા અપરાધ પ્રત્યે આત્માનું સ્વયં નિંદા દ્વારા શુદ્ધીકરણ કરો, જેથી આત્મબળ વિકાસ પામે. ભગવાન શ્રેણિકને તેની નરકગતિનું ભાવિ પ્રગટ કર્યું તે કથન કડવું ભલે હો, પણ શ્રેણિકને ભગવાનની વાણીમાં શ્રદ્ધા હોવાથી તે તેના હિત માટે થયું. ભગવાનના એ કથનથી શ્રેણિક જાગૃત થઈ ગયા અને પ્રભુભક્તિમાં વધુ પ્રસક્ત થયા. ભગવાન મૌન રહ્યા ત્યારે પણ તેમણે પોતાના એ અભિગમથી જગતના જીવોને ઘણું કહ્યું. જે કંઈ બને છે તેને સાક્ષીભાવે જુઓ, જાણો અને સમતા કેળવો. પરિણામે વિશ્વમાં રહેલા સત્નો સૂક્ષ્મ ભેદ ૧૪૪ % હિતશિક્ષા જwwજકજwwwwwwwwwwwww - 0000 0 000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy