SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' DOMOSAMBANDOMMAGALONAMSHEDOOND00DABAD AMAS SADDAMS હે ગૌતમ ! આનંદે જે કહ્યું છે તે સત્ય છે, તમારી માન્યતા અયથાર્થ છે, માટે પ્રાયશ્ચિત્ત આનંદે કરવાનું નથી, તમારે કરવાનું છે.” તમે એક ક્ષણ માટે હમણાં જ્યાં છો તે જ અવસ્થામાં એવી પરિસ્થિતિમાં મુકાઈ ગયા હોય તો તમારે માથે જાણે આભ તૂટી પડ્યું હોય તેવું અનુભવો ને? ક્ષોભ પામી જાવ. તરત જ તમારા મગજમાં તમારી મોટાઈના તરંગોનો હુમલો થાય ! અને ધારો કે ગોશાળક હોત તો ભગવાનને કહી દેત, “જો તમને તમારા મુખ્ય શિષ્યનું પણ કંઈ મૂલ્ય નથી તો મને તમારું શાસન ખપતું નથી. હું પણ મારો પંથ પ્રવર્તાવી શકે તેમ છું.” ગૌતમ, ગૌતમ હતા. ભગવાન પણ સત્યના મહાન પ્રણેતા હતા. ગૌતમ ક્ષણના વિલંબ વગર આનંદ શ્રાવક પાસે પહોંચ્યા, અને ક્ષમા માગી. અદ્ભુત છે એ નમ્રતા. જ હિતશિક્ષા હે ભવ્યાત્માઓ! ગૌતમની આ નમ્રતાનાં ઓવારણાં લો. પ્રશંસા કરો, તેનો એક અંશ જો તમને મળી જશે તો તમને મુક્તિમાર્ગને યોગ્ય નિવડવાની ચાવી મળી જશે. અહંકારનું આવું વિસર્જન થઈ ખોટી મોટાઈનો મમકાર જો વિલીન થઈ જાય, તો મુક્તિ દૂર રહેતી નથી. એ જ મુક્તદશા નથી શું? મનુષ્યમાં બંને પ્રકૃતિ કામ કરે છે. વિનયની અને સ્વચ્છંદની; અર્થાત ગૌતમની કે ગોશાલકની. આ કથનથી બોધ પરિણામ પામે તો સ્વચ્છંદ મટી વિવેક પેદા થાય. જે વિનયથી ધર્મનો બોધ યથાર્થ પરિણામ પામે છે. ભગવાનના મુખ્ય શિષ્ય હોવા છતાં આનંદ શ્રાવક પાસે જવું, તેમના જ્ઞાનને સમર્થન આપવું, પોતાની ભૂલને કબૂલ કરવી. અને સ્પષ્ટતાપૂર્વક ક્ષમા માગવી. જેની ચેતના જાગરણની ક્ષણોમાં જીવંત હોય તે જ આવું અનુપમ કાર્ય કરી શકે. ચેતનાને કોઈ વિકલ્પથી મલિન થવા ન દે તે સાધના છે. ૧૩૮ ૪ હિતશિક્ષા W soos SAMOSSOROSOSASCOSASSARANMOMOD urVANAM કહત હાહત કાવતા હતા OOOOOO પર કાર રકાર જ ના - - - - - - - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy