SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ કે ગૌતમના વારસદાર ખરા. ગોશાળક થવું ગમતું ન હોય તો તમારે ગૌતમની નિર્દોષતા અને લાઘવતાને આત્મસાત કરવી પડશે. તેમના જેવું સમર્પણનું સત્ત્વ ધારણ કરવું પડશે. અને આજ્ઞાંકિતપણામાં તમારે આંધળા બની જવું પડશે. એવું આંધળાપણું તમારા અહંકારનો નાશ કરવા સમર્થ બનશે અને તમે સાચા અર્થમાં દેખતા થશો. તે માટે તમારે નીચેના પ્રસંગને તમારી સાધનાનું તત્ત્વ બનાવવું પડશે. અજોડ નમ્રતા ભગવાનના ઉપાસક શ્રાવક આનંદ સમાધિદશાની અનશનની આરાધનામાં રહ્યા હતા. એ આરાધનાની શુદ્ધિના બળે આનંદને વિશાળ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું, જે જ્ઞાન મુનિઓ માટે પણ દુર્લભ હતું. એકવાર ગૌતમ આનંદના ઉપાસનાગૃહમાં ગયા. આનંદે તેમને વંદન ક્ય. પછી તેઓ ઘર્મચર્ચા કરવા લાગ્યા. તે પ્રસંગે આનંદે કહ્યું કે “ભગવાનની કૃપા વડે મને વિશાળ અવધિજ્ઞાન પ્રાપ્ત થયું છે.” ગૌતમને લાગ્યું કે શ્રાવકને માટે એવું જ્ઞાન અસંભવ છે. તેથી આનંદને તેમણે કહ્યું કે “એ વાત શક્ય નથી અયથાર્થ પ્રતિપાદનથી તમારે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ.” આનંદ : “ભતે ! ભગવાનના શાસનમાં સાચી વાતનું પ્રાયશ્ચિત્ત છે ?' ગૌતમ : “નથી.” આનંદ : “તો પછી તમારે પ્રાયશ્ચિત્ત કરવું પડશે.” થોડીકવાર કલ્પના કરો કે ગોશાલક હોત તો શું કરત? ગુરુને નામે વાત વણસાવીને હાંસી કરી હોત. પણ આ તો વિનયધર્મના ઉપાસક ગૌતમ હતા. તે પોતે પણ ચાર જ્ઞાનના ધારક હતા. પોતે એ વાત શુદ્ધજ્ઞાનમાં જાણી શકે તેમ હતા. છતાં તેમને ભગવાનના સર્વોપરી શુદ્ધ શાસન પ્રત્યેનો અત્યંત આદર હતો; તેઓ તરત ભગવાન પાસે પહોંચ્યા. ભગવાન પાસે તેમણે પૂરી ઘટના રજૂ કરીને પૂછ્યું “ભંતે ! પ્રાયશ્ચિત્ત કોને કરવું પડશે?” હિતશિક્ષા જ ૧૩૭ તobeતાના કામ કરતા હતા. કાકાસાહથી કરતા હતા - ન - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy