SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ સુવાસિત રહે. ઘોર ઉપસર્ગ વખતે ભગવાન મહાવીર છ માસ સુધી કઠણ કાળજાના બનીને સમતાભાવે રહ્યા, અને ઉપસર્ગો શાંત થયા, સંગમના સામું જોયું, ત્યારે તેમનું હૃદય પુષ્પથી પણ સુંવાળું હોવાથી આવી યાતના કરનાર ઉપર પણ કરુણા વરસાવી. એ પ્રભુએ પોતાના મૌનથી જીવોને ઉપદેશેલો મૈત્રી અને કરુણાભાવ હતો. અહો ! મહાવીરને ભજવાના ફળરૂપે જો કંઈ પણ પ્રાપ્ત થતું હોય તો આવા સમતા આદિ ગુણોના અંશો છે. જો તે મળે તો જન્મ સાર્થક થાય. આવી મૈત્રી અને કરુણાની હિતશિક્ષા માટે જ પ્રસંગ પ્રગટ થયો છે. એ કેવળ કોઈ કથા નથી પણ માનવને માટે ઘણી મોટી હિતશિક્ષા છે. સમતાસ્વરૂપ ભગવાનને ભજીને જીવમાં સમતાનો અંશ પણ પડી જાય તો જીવન અમૃતસમ બને. સમતાનું સુખ અવર્ણનીય છે. સમતાથી દર્દ સહુ પ્રભુ એટલું બળ દેજે મારી ભક્તિ જો સાચી હોય તો પ્રભુ આટલું બળ દેજે. છેલ્લે દર્દ વધે હું મોત નહિ માંગું. વળી છેલ્લા શ્વાસ સુધી ઘર્મ નહિ ત્યાગું. રહે ભાવ સમાધિ સાચી, પ્રભુ એટલું બળ દેજે. NR : ચક્રવૃદ્ધિ વ્યાજ સાથેનો કર્મનો કાનૂન ગૃહસ્થ દશામાં પણ મહાવીર જ્યારે ઘેરા ચિંતનમાં ઊતરતા ત્યારે, વળી અતિન્દ્રિયજ્ઞાનમાં ક્યારેક પૂર્વનું દોષદર્શન થતું ત્યારે, અન્ય જીવોને આપેલાં દુઃખોથી કાળજું કંપી ઊઠતું. વિશ્વભૂતિના ભવમાં નિર્દોષ ગાયને ઉછાળવી, ત્રિપૃષ્ઠવાસુદેવના ભવમાં રાંક એવા શવ્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવવું. ક્યાં પ્રભુનું કરુણાÁ હૃદય અને ક્યાં તે સમયના કઠણ કાળજાની ભીષણતા. પ્રભુ આવાં કર્મોને જોતા અને કર્મોનો નાશ કરવા માટે તલસી રહેતા. એટલે જ તેમનાં ચરણ અનાયદશા બાજુ વળ્યાં. એકવાર પ્રભુ જંગલના એકાંત સ્થાને ધ્યાનસ્થ દશામાં હતા. ત્યાં ૧૩૨ ૪ હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy