SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરનો પહેલો ભવ : નયસાર - - - - - -- - --- ---- - - ------ સરકાર ભગવાન ઋષભદેવથી પણ પહેલાંના કાળની આ વાત છે. શત્રુમદન રાજાના આધિપત્યમાં રાજપ્રજા સૌ સુખી હતાં. એ નગરની એક શેરીમાં એક નાનું આદર્શ કુટુંબ વસતું હતું. તે રાજદરબારમાં સન્માનિત હતું. માતા, પિતા અને એક પુત્ર ત્રણે ગુણસંપન્ન હતાં. હજાર શિક્ષકો જે શિક્ષણ ન આપી શકે તે શિક્ષણ એક સંસ્કારી મા પોતામાં રહેલા વાત્સલ્યથી સંતાન પ્રત્યેની હિતભાવનાથી આપી શકે. તેમ નયસારને માતાના સુસંસ્કારનો વારસો મળ્યો હતો. એ બાળકનું નામ હતું નયસાર, પૂર્વનો કોઈ રૂડો જીવ હતો. આથી બાળક હોવા છતાં વિવેકશીલ હતો. પ્રાતઃકાલની પ્રથમ પ્રણાલિ માતાપિતાને પ્રણામ કરવાની હતી. તે સમયે માતા પોતાના વાત્સલ્યનો અખૂટ ખજાનો પુત્રના શિરે પોતાનો શુભ હસ્ત મૂકીને ઠાલવી દેતી. બાળકના માથાને ચૂમતી અને તેના હિતની કેટલીયે કામનાઓ કરતી. તે સમયના જીવોની સરળતા એવી હતી કે પોતાનાં સંતાનો કેવળ ધનાર્થી થાય તેવું વડીલો ઇચ્છતા નહિ. સંસારી જીવ હોય એટલે માનસન્માન, ધન, યશકીર્તિ, સમાજમાં પ્રતિષ્ઠા ઇચ્છે, પરંતુ એ સર્વ કેવળ ધનના બળે નહિ પણ સગુણના બળે. અને તેથી માનવ સદ્ગણનું પ્રાણાંતે પણ જતન કરતો, દોષોથી કે નીંદનીય કામ કરવાના પતનથી દૂર રહેતો. એટલે સજ્જનતાને મૂલ્યવાન રતનની જેમ જાળવતો. બાળક નયસારને સુસંસ્કારનો વારસો જન્મદાત્રીએ ગળથુથીમાં પીવરાવ્યો હતો. અતિથિ દેવો ભવ:”ના વારસાને એ બાળકે ગ્રહણ કર્યો હતો. માતા કહેતી “બેટા ખવરાવીને ખાજે,' ધન દીધું જો ધણીએ તુજને, પેટ ભૂખ્યાનાં ભરતો જા.” અતિથિ આંગણે આવે તો અહો, અહો, અને ન આવે તો સામે પગલે શોધીને પણ તે બાળક રોજ અતિથિને જમાડીને જમતો. નયસાર બાળક મટી યુવાન થયો. પિતાની પરંપરા જાળવીને તે હિતશિક્ષા : ૩ s જાતew COLODGOVODVODOV 00000000 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy