SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરનો પુણ્યયોગ એવો હોય કે તેમની નિશ્રામાં ઉપદ્રવો શાંત થઈ જાય; પણ આશ્ચર્ય કે અહીં તો પ્રભુને ઉપદ્રવો શોધી લેતા. ભાઈ ! સાંસારિક સુખના લોલુપ જીવો પોતાના બળનો ઉપયોગ કરી, અન્યને ઉપદ્રવ કરીને પોતે સુખ ઇચ્છે; પણ આ તો વાત્સલ્યમૂર્તિ મહાવીર હતા; પ્રેમના પૂજારી, અહિંસાના ઉપાસક, સમતાના સાગર, હતા. સમભાવે બધું સહી લીધું કર્મોનો નાશ કરી સને પ્રગટ કરી પછી જગતને મોક્ષનો માર્ગ દર્શાવનાર એ મૌની મુનિ હતા. આખરે ગોશાળક પ્રભુથી અલગ થયો. તેણે સાધના કરી તેજોલેશ્યાની વિદ્યા સિદ્ધ કરી. અણબૂઝેલો તે એ વિદ્યાવડે પોતાને સર્વજ્ઞ માનવા લાગ્યો. પોતાના જ પગ પર કુહાડો મારવા જેવો મૂર્ખ તે પ્રભુ પ તેજોલેશ્યા છોડીને, પોતે જ પોતાની વિદ્યાથી મૃત્યુના મુખમાં ધકેલાઈ ગયો. એક તો આ જન્મનું તાત્કાલિક દુઃખ સહ્યું. પરંતુ જે જે આદરેલા અધૂરા રહ્યા તેનું ફળ તો હજી ઘણું ભોગવવાનું તેના લલાટે લખાઈ ગયું હતું. પ્રભુનો સાક્ષાત્ જોગ મળવા છતાં વિપરીત અભિનિવેશ, અજ્ઞાન, અહંકાર જેવા અંધકારથી જીવ ઘેરાઈ જાય છે, ત્યારે જેના યોગે જીવ સંસારસાગર તરી પાર ઊતરે તેના બદલે સંસારવનમાં ભમવાનું તેના ભાગ્યમાં નિર્માણ થાય છે. જેમ ગોશાળકે પોતાને સર્વજ્ઞ મનાવાના ભ્રમમાં ભાન જ ન હતું, કે તે શું અનર્થ કરી રહ્યો છે. એકાદ માન્યતાનો આગ્રહ તેમાં એકાદ લબ્ધિનો પુણ્યયોગ જીવને કેવી વિપરીત મતિમાં લઈ જાય છે, કે તે સત્થી યોજનો દૂર થઈ જાય છે. ગોશાળક સ્વયંસ્ફુરણાથી ભગવાનનો શિષ્ય થયો, પરંતુ ભગવાનને ઓળખી ન શક્યો. અને થોડા જ્યોતિષજ્ઞાન વડે સર્વજ્ઞપણાના અહંકારમાં ભાન ભૂલીને, પોતાના ગજથી તેણે ભગવાનનું માપ કાઢ્યું. અને પોતાનું માનેલું સર્વજ્ઞપણું લૂંટાઈ જવાના ભયે લોકસમૂહને મહાવીરની વિરુદ્ધ ઉપદેશ આપવા લાગ્યો. જીવમાં જ્યારે હું કંઈક છું તેવો અહંકાર જાગે હિતશિક્ષા × ૧૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy