SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ Ni Ni જ ગોશાળકને એક નાની સરખી વિદ્યા પ્રાપ્ત થઈ. અને પોતાને સર્વજ્ઞ હોવાનો ગર્વ થયો. ધર્મને નામે વિદ્યાનો વિપરીત ઉપયોગ કર્યો. ભોળા જનસમૂહને પોતાની વાસના પ્રમાણે ઉપદેશ આપવા લાગ્યો. પોતે માર્ગ ભૂલ્યો, અન્યને પણ ઉન્માર્ગે વાળ્યા. આમ કહેવાતા ગુરુ અને કહેવાતા શિષ્યો બંને માર્ગ ચૂકી જાય છે. સન્માર્ગમાં નહિ પણ ચમત્કારમાં માનતા જીવો એવા ગુરુઓમાં ફસાય છે, અને તેમાં ધર્મ માની જીવનને વ્યર્થ ગુમાવે છે. માટે તે ચેતન ! એવા ગુરુપદથી કે શિષ્યભાવથી દૂર રહેજે. ક્યાંય ઘર્મકથા વાર્તા કરવાનો પ્રસંગ મળે ત્યારે પ્રભુના વચનથી કંઈ પણ અન્યથા ન કહેવાય તે ધ્યાન રાખજે. પોતાની લોકપ્રિયતા અને પ્રસિદ્ધિના લોભે વિવશ ના બનતો. ઘર્મ પામવો દુર્લભ છે, પરંતુ એકવાર કોઈ માન્યતાનો આગ્રહ થયો પછી તે છૂટવો બહુ જ કઠણ છે, અને પુનઃ ધર્મ જ પ્રાપ્ત ન થાય, તેવું પ્રબળ અંતરાયકર્મ જીવ સાથે વણાઈ જાય છે. કદાચ તારું શાસ્ત્રજ્ઞાન વધે, કંઈ ક્ષયોપશમ વધે, ત્યારે પણ આગમ પ્રમાણ કરીને વાતો કરજે. લોકોનાં મન ખુશ કરવા માટે કે માનમોટાઈ માટે ધર્મવાર્તા નથી, તે ચૂકી ન જતો. બીજા કરતાં કંઈ વિશેષ કહું છું; તેવા લોકરંજનમાં ના પડતો. આગમને પ્રમાણિત ન હોય તેવા વચનમાં, પ્રચાર કે પ્રસિદ્ધિ વડે ભાવિજન્મનું મૂર્ખાપણું કે અજ્ઞાનપણું નોતરી ન બેસતો. ધર્મ ન હોય તેને ધર્મ ન મનાવતો. દંભને તો ત્યજી જ દેજે. ગચ્છમતના આગ્રહમાંથી આવા ભાવો ઊઠે છે. ક્યાંક જીવનનો શિથિલાચાર એવી ભૂલ કરાવે છે. અને ક્યાંક સામાજિક મોભો પણ એવા મોહમાં પાડે છે. ક્યાંક કોઈ શાસ્ત્ર વિધાનનું એકાંત પક્કાઈ જાય ત્યારે બુદ્ધિમાન હોવા છતાં એમાં ધર્મના પ્રચારનું મહાન કાર્ય માનતો હોય છે; અને લોકસમુદાય જો મળી ગયો તો પછી લોકોને પણ અવળે માર્ગે દોરવાનું બને છે. જ્ઞાનીજનોએ જે વાતનો નિષેધ કર્યો હોય તે જ વાતનો પોતે ધર્મી હિતશિક્ષા ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy