SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - મા કામ તતાના કાનાતળતાના કાઢી મૂકવાનું પણ કરતા નહિ. પ્રભુનો વિશ્વ પ્રત્યેનો અભિગમ સાક્ષીભાવનો હતો. વિહારમાં પાછા વળતાં પેલા છોડને ઊગેલો જોઈ તેણે નવો સિદ્ધાંત શોધ્યો કે જંતુઓ શરીર બદલીને પાછાં જ્યાં હતાં ત્યાં જ ઉત્પન્ન થાય છે. આમ તે પ્રભુની સાથે હોવા છતાં પ્રભુથી દૂર હતો. કુર્મ ગામે એક તાપસ આતપનાનું તપ કરતો હતો. તે વખતે જટામાંથી જુઓ તાપથી જમીન પર ખરતી, તેને તાપસ પાછી જટામાં મૂકતો. ગોશાળકે આવી ક્રિયા જોઈને તાપસની ખૂબ હાંસી કરી, આથી તાપસે કોપાયમાન થઈને તેના પર પોતાની લબ્ધિ વડે તેજોલે યા છોડી. કેમ જાણે આટલા લાંબા સમયની ગોશાળકની આશાપૂર્તિ થવાની હશે? ભગવાને શીત લેશ્યા વડે ગોશાળકને બચાવી લીધો. ગોશાળક ભસ્મીભૂત થતો બચી ગયો. પણ આ ચમત્કારિક વિદ્યા વડે તે અત્યંત પ્રભાવિત થયો. અને તેણે ભગવાન પાસે આ વિદ્યાની પ્રાપ્તિ માટે યાચના કરી. ભગવાને તેને એ વિદ્યાનું રહસ્ય સમજાવ્યું. ગોશાળકને આ વિદ્યાનું રહસ્ય મળવાથી હવે તેણે ભગવાનની નિશ્રા છોડી દીધી. તે વિદ્યા પ્રાપ્તિ માટે શ્રાવસ્તીમાં જઈ પ્રભુએ કહ્યું હતું, તે પ્રમાણે તપ કરી, તેજો લેગ્યા સિદ્ધ કરી. તેનો પ્રયોગ કરવા તેણે એક સ્ત્રીનો ઘડો ફોડી નાંખ્યો. તે સ્ત્રીએ જ્યારે તેને અપશબ્દો કહ્યા, ત્યારે તેણે કોપાયમાન થઈ, તેના પર તેજોલેશ્યા મૂકી. તે સ્ત્રી બળી ગઈ, આથી લોકોમાં તે ચમત્કારિક જણાવા લાગ્યો. વળી આગળ જતાં તેણે અાંગ નિમિત્તનું જ્ઞાન મેળવ્યું. તેના વડે લોકોના મનની વાત કહેવા લાગ્યો. આથી હવે તે પોતાને સર્વજ્ઞ કહેવરાવવા લાગ્યો. ગોશાળકે તેજલેશ્યા વડે વિરોધને નષ્ટ કરનારો અને આમ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનથી અન્યના મનની વાત કહેનારો થયો હોવાથી તે જ્ઞાની તરીકે પ્રસિદ્ધિ પામ્યો. આથી તેના અનુયાયીઓ પણ બહુજન હતા. તેઓ સૌ તેને અતિ માની પૂજતા હતા. હિતશિક્ષા થી ૧૧૯, - કાકા - રાક આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy