SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ગોશાળકની ચેષ્ટાઓ પ્રભુ તો મૌનપણે વિહરતા. ગોશાળક કોઈની ગુપ્ત ક્રીડાઓ જોઈને હાંસી કરતો, અને માર ખાતો. તેના આ સ્વછંદી વર્તનને પ્રભુ જાણતા છતાં મૌન રહેતા, ન શિખામણ આપતા ન બચાવ કરતા. પ્રભુ પોતાની આત્મસાધનામાં રત હતા. તેમ બહારના આવા વિકલ્પોથી દૂર રહેતા. ગોશાળકમાં આવી આત્મસાધનાને સમજવા જેવી વિવેબુદ્ધિ ન હતી. તે તો ફક્ત પારણા સમયે થતી વસુધારા જેવા દિવ્યોના ચમત્કારથી પ્રભાવિત થતો, તેને કંઈક મળશે તેવી આશાએ પ્રભુ સાથે રહ્યો હતો. પોતાના મનસ્વીપણાથી અને કટાક્ષયુક્ત વાણીથી તેને કોઈ વાર મારનો મેથીપાક મળતો, ત્યારે તે બચાવ માટે પ્રભુને વીનવતો. ત્યારે યક્ષ સિદ્ધાર્થ જવાબ આપતો કે ‘‘હે ગોશાળક તું માર ખાય છે તે તારા દુષ્ટ સ્વભાવથી ખાય છે.’’ અરે ! કોઈવાર તેના અયોગ્ય વર્તનથી પ્રભુને મારવા સુધી લોકો ઉશ્કેરાઈ જતા. પ્રભુ ન સ્વનો બચાવ કરતા, ન ગોશાળકનો. પ્રભુએ કર્મોના સમૂહને શીઘ્રતાએ છેદવા આર્યદેશ છોડીને અનાર્ય દેશમાં પ્રેવશ કર્યો, કે જ્યાં તેમનું પરિચિત કોઈ ન હતું, એટલું જ નહિ પ્રજા પણ તદ્દન અજ્ઞાની અને ક્રૂર સ્વભાવાળી હતી. આથી તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ઉપસર્ગોની હારમાળા રચાતી. તાડન-પીડનની ઘણી પીડાઓ થતી. એમાં ગોશાળક પણ ઝડપાઈ જતો, અને ઉપસર્ગમાં તેની ભાગીદારી થઈ જતી. આથી આખરે તેણે પ્રભુને જણાવ્યું કે તમારી સાથે રહેવામાં મને માર પડે છે, ઉપસર્ગો સહન કરું છું. અને ભોજન તો મને મળતું નથી, તમે સમદૃષ્ટિ હોવા છતાં તમારા સેવકની સંભાળ રાખતા નથી માટે મેં તમારી નિષ્ફળ સેવા કરી છે. પણ હવે હું તમારી સાથે રહેવા માગતો નથી. આમ કહી ગોશાળક પ્રભુથી છૂટો થયો. પરંતુ તેના પ્રારબ્ધમાં હતું તેમ બન્યું, પ્રભુથી છૂટો પડ્યો ત્યારે હિતશિક્ષા ૧૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy