SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ... તમામ WAANAAALAAAAA ગોશાળકનો પ્રવેશ પારણું કરી પ્રભુ પાછા સ્થાને પહોંચ્યા, ત્યારે ગોશાળક સાથે થયો. શાળામાં જઈને પ્રભુને નમીને કહેવા લાગ્યો કે હે ભગવાન ! “હું આપને શરણે આવ્યો છું, આજથી હું આપનો શિષ્ય છું.” પ્રભુ તો મૌન રહ્યા. છતાં ગોશાળક રાત દિવસ તેમની છાયા બનીને રહ્યો. પ્રભુને તો બીજું માસક્ષમણ ચાલુ થયું. ગોશાળક જ્યાંત્યાંથી ભિક્ષાવૃત્તિ કરી લેતો. પ્રભુને અનુક્રમે બીજું પારણું – થયું, ત્રીજું પારણું થયું. ત્યારે વળી તેને ક્યારેક ભિક્ષાનો સુયોગ મળી જતો. પણ પ્રભુના મૌનને તે જાણતો ન હતો. તીર્થંકરની પ્રણાલિને તે જાણતો ન હતો કે ભાવિ તીર્થકર કેવળજ્ઞાન થયા પછી તીર્થ પ્રવર્તાવે ત્યારે શિષ્યની પ્રણાલિનો આરંભ થતો. છતાં તે પ્રભુની સાથે ફરતો. ગોશાળક ભગવાનનો શિષ્ય થવા માંગતો હતો, પણ તેનું ભવિતવ્ય અવળું હતું. ભિક્ષામાં કોઈવાર તો તેને વાસી અનાજ મળતું. ભગવાનના નિવાસ સ્થાનો પણ કંઈ સુખશયાવાળાં ન હોતા, શૂન્યગૃહો. ખંડેરો, વન ઉપવન હોય. છતાં ગોશાળક આશાસહિત તેમની સાથે ફરતો. રહેતો, બેસી રહેતો. વળી પોતાના અપલક્ષણથી દુઃખ પામતો. એકવાર તો કોઈ આરક્ષકોએ ચોર ઘારીને ભગવાન અને ગોશાળકને પક્કીને માર્યા. ભગવાન તો મૌન રહ્યા. રાંક ગોશાળક કંઈ સમજી શકતો ન હતો કે એકબાજુ મુનિનું પારણું થાય ત્યારે દેવો પુષ્પવૃષ્ટિ કરે, અને બીજી બાજુ આ જ મુનિને લોકો દોરડે બાંધે, મારે, છતાં કોઈ બચાવ કરનાર ન મળે, પોતે પણ બચાવ ન કરે. તે ભગવાનને કહેતો કે “સ્વામી, તમે મારું રક્ષણ કેમ કરતા નથી. તમે નિષ્ફર છો ?” પણ ભગવાન તો ન સ્વામી હતા. ન તેમને કોઈ શિષ્ય હતો. ભગવાનનું એ જ મૌન. AMUNAMAANANMUNAMWAMWAMWA AMANANANANAN ૧૧દ પs હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy