SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ધનાવહને ત્યાં જ ગાળશે. ચંદના તરીકે દાસત્વમાં એને સુખ છે. અને વળી દાસીને પોતાની સ્વતંત્ર ઇચ્છા હોતી નથી. રાજાએ પૂછ્યું ‘‘તું હવે દાસી કેવી રીતે ?'' “મહારાજ એ તો આપ જ જાણી શકો.'' આ જવાબથી રાજાને વરેલા સૈનિકોએ કરેલા અત્યાચારથી રાજાનું શીશ નમી પડ્યું. પોતાના યુદ્ધ ઉન્માદ પર તેને પસ્તાવો થવા લાગ્યો. આખરે ઇન્દ્રે ધનાવહને કહ્યું કે આ કન્યાને તમે સામાન્ય ન માનતા તે સંસારી જીવો કરતાં અનેરી સ્ત્રી છે. ભોગ તેને સ્પર્શતા નથી. ભગવાન મહાવીર જ્યારે તીર્થની સ્થાપના કરશે ત્યારે પ્રથમ સાધવીપદે ચંદનાનું સ્થાન હશે. અને તે આ જ જન્મમાં મુક્તિ પામશે. તમે તેનું તમારા પ્રાણની જેમ રક્ષણ કરજો. છતાં શતાનિક રાજાના અત્યંત આગ્રહથી અને રાજાજ્ઞાને માન આપી ધનાવહે ચંદનાને રાજાને સોંપી, ચંદનાને તો મહેલ અને જંગલ સમાન હતાં તે રાજ્યના અંતઃપુરમાં રહીને પણ ઉત્તમ શ્રાવિકા ધર્મને પાળતી રહી અને પ્રભુ તીર્થની સ્થાપના કરે, ત્યારે પ્રભુચરણે શેષ જીવન ગાળવાની આતુરતાપૂર્વક પવિત્ર જીવન ગાળતી હતી. ઋ હિતશિક્ષા : હે ભવ્ય જનો ! ચંદનબાળાની જીવનકથા જ એવી છે કે તે હજારો કલમે લખાય તો પણ પ્રેરણાદાયી છે. અર્થાત્ તમે એ કથાનું શ્રવણ અને વાચન ઘણીવાર કર્યુ હશે. પણ પવિત્રાત્માઓની કથા આપણને આત્મસાત્ થાય ત્યારે તે કથા આપણી બને છે, આપણી બનવી જોઈએ. તે કેવી રીતે બને ! એ પવિત્રાત્માઓના જીવનનાં રહસ્યોને આપણે ખૂબ જ વાગોળવાં જોઈએ. વારંવાર તે કથામૃત આપણા સ્મૃતિપટે અંકિત થવું જોઈએ. જેથી તેમના જીવનનાં ઉદાત્ત તત્ત્વો આપણામાં સત્ત્વરૂપે પ્રગટ થાય. પાંચ ઇન્દ્રિયોના વિષયમાં રાચતા જીવોમાં પોતાનું કોઈ સત્ત્વ હોતું નથી. અને ક્ષુદ્રતામાં માનવજીવન પૂરું થાય છે. માનવી આવ્યો ત્યારે હિતશિક્ષા ઃ ૧૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy