SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યું? અભિગ્રહ પૂર્ણ થવાથી દેવતાઓ પ્રસન્ન થઈને તે જ સમયે હાજર થયા. તીર્થકરના પુણ્યાતિશયના બળે, ત્યાં દેવતાઓ વડે પાંચ દિવ્યો પ્રગટ થયા. વળી ઈન્દ્રારાજની વૈક્રિય લબ્ધિ વડે તત્કાળ ચંદનાની બેડીનું સ્થાન સુવર્ણ નૂપુરે લીધું. કેશકલાપ પૂર્વની જેમ મસ્તકે શોભી ઊઠ્યો. શરીરે સુંદર વસ્ત્રાલંકાર ધારણ થયા. અને ચંદનાની સુધા તો પ્રભુની અમીદૃષ્ટિથી શાંત થઈ ગઈ હતી. પ્રભુના પારણાથી પ્રસન્ન થયેલા દેવતાઓ દુંદુભિના બુલંદ ધ્વનિ સહિત નૃત્ય કરવા લાગ્યા. દુંદુભિના નાદથી રાજા, પ્રજા સૌએ જાણ્યું કે પ્રભુને પારણું થયું છે. રાજા, રાણી મંત્રી મોટા પરિવાર સાથે, અને ચારે દિશાથી નાગરિકોનો મોટો સમુહ ધનાવહ શેઠને. આંગણે એકઠો થયો. દિવસોથી પ્રભુના પારણા માટે અધીરા બનેલા રાજા-પ્રજા સૌ પ્રસન્ન થયા. ધનાવહ લુહાર લઈને આવી પહોંચ્યા. ત્યારે તે આ ભીડ જોઈને આશ્ચર્ય પામ્યા. માંડ માંડ માર્ગ કરીને ઘરમાં આવ્યા, અને જે દૃશ્ય જોયું તેનાથી અત્યંત પ્રસન્ન થયા. પ્રભુને વંદન કરી પોતે ધન્ય થયા. ઉપસ્થિત રહેલા કેટલાક ભવ્ય જીવો આ દૃશ્ય નિહાળી ધન્ય થઈ ગયા. પ્રભુ એ જ ધીરતા અને સમતાથી પાછા વળ્યા. સૌને પ્રશ્ન થયો કે આ ચંદના કોણ હશે? ત્યાં સંપુલ નામનો દધિવાહનનો એક સેવક જે ચંપાનગરી લૂંટાઈ ત્યારે તે પકડાઈ ગયો હતો, તેને આજે જેલમાંથી મુક્તિ મળી હતી. તે ત્યાં આવ્યો અને ચંદનાના ચરણમાં પડી રુદન કરવા લાગ્યો. ઘણે સમયે પોતાના દેશના વતનીને જોઈને ચંદનાની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી. શતાનિક રાજાએ ત્યાં આવીને સંપુલને પૂછ્યું કે “તું કેમ રડે છે ?' સંપુલની અશ્રુધારા આ પ્રશ્નથી વિશેષ ઉટ થઈ. તે માંડ માંડ બોલી શક્યો કે “અનેક પ્રકારના વૈભવમાં ઊછરેલી દધિવાહન રાજા અને ધારિણીની રાજકન્યા વસુમતી આજે દાસીપણું પામી છે તે જોઈ હિતશિક્ષા જ ૧૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy