SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ | મોનઘારી મહાવીરના સત્તાવીસ ભવોની બજાર હિતશિક્ષાક્ય કથા જૈન – દર્શન અનુસાર આ અવસર્પિણી કાળના પાંચમા આરામાં ભગવાનશ્રી મહાવીરનું શાસન પ્રવર્તે છે. જૈનધર્માવલંબી ભવ્યાત્માઓ શ્રી મહાવીરની જીવનકથા અને ગાથાથી પરિચિત હોય છે. વળી ભગવાનના ૨૭ ભવો વિષે અનેકવિધ પ્રકાશનો પ્રસિદ્ધ થયાં છે, કારણ કે ભગવાનની જીવનચરિત્રની કથા જિજ્ઞાસુઓ માટે હિતકારક છે. તેમના જીવનના દરેક પ્રસંગોનું રહસ્ય જ શિક્ષણરૂપે પ્રગટ થાય છે. વળી જિજ્ઞાસુની શ્રદ્ધા અને સમજ જેમ જેમ પરિપક્વ થાય છે, તેમ તેમ તેની સમજમાં એ રહસ્ય નવનીત બનતું જાય છે અને સાથે સાથે અજ્ઞાનનાં તાળાં ખૂલતાં જાય છે, મલિનતાનાં જાળાં દૂર થતાં જાય ભગવાનના જીવનના કેટલાક પ્રસંગો દુ:ખદાયી અને કેટલાક પ્રસંગો સુખદાયી જણાય છે; વાસ્તવમાં તેવો ભેદ તેમને નથી, પણ તેમ થવું એ કર્મની વિચિત્રતા છે. અને તેથી જે ભગવાનનું જીવન હિતશિક્ષારૂપ બને છે. સુદૃઢપણે બાંધેલાં કર્મો સમય પરિપાક થતાં તે ઉદયમાં આવે છે ત્યારે ઈદ્ર હો, ચંદ્ર હો, નાગેંદ્ર હો કે જિનેન્દ્ર તો કોઈ પણ ભોગવ્યા વગર છૂટ્યા નથી. અંતર માત્ર એટલું છે કે જ્ઞાની સમતાથી અને અજ્ઞાની વિષમતાથી ભોગવે છે. પરિણામે જ્ઞાની છૂટે છે અજ્ઞાની પુનઃ બંધાય છે. સંસાર કે સિદ્ધત્વ, બંધન કે મુક્તિ, જીવ કે અજીવ જેવા પદાર્થો આનાદિકાલીન છે, બંનેમાંથી જીવ સાથે કોઈ એકનો સદ્ભાવ રહે છે. ક્યાં જીવ સંસારમાં રહે છે ક્યાં જીવ સિદ્ધત્વ પામે છે. ભવ્ય જીવમાં સમજ પછી વાસ્તવિક – અધ્યાત્મ જીવનનો પ્રારંભ થતાં તે સ્વકાળે મુક્તિગામી થાય છે. ભગવાન મહાવીરનું જીવન બંધન અને મુક્તિનો હિતશિક્ષા : ૧ , Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy