SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ત્યારે મૃત્યુને આરે ઊભેલી એક વૃદ્ધાએ હિંમત કરી, સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો. અને શેઠને પેલા ઓરડા પાસે લઈ ગઈ. શેઠે બારણું ખોલ્યું. ચંદનાની દશા જોઈ શેઠ સ્વયે હેબતાઈ ગયા, હતપ્રભ થઈ ગયા. ચંદનાએ આંખ ખોલી ઊંચે જોયું, શેઠની નજરની અનુકંપ, અને વાત્સલ્યભાવે તેને ગદ્ગદિત કરી દીધી. ભલભલો ભડવીર પણ આ દૃશ્ય નિહાળીને ક્ષોભ પામી જાય. ત્યાં વાત્સલ્યમૂર્તિ શેઠની દશા કેવી હોય? શેઠના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યા. અરે દેવ ! આ હું શું જોઉં છું?' નિર્દોષ મૃગલી જેવી આ કન્યા. તેણે મૂળાનું શું બગાડ્યું હતું? એની આ કેવી દશા ?' એ ચંદના પર શું શું વિત્યું? તે ચંદના પોતે પણ સમજી શકી ન હતી કે વાળંદ પાસે તેના કેશકલાપનો નાશ શા માટે કરવામાં આવ્યો? અરે ક્યા અપરાધ માટે તેને પગમાં બેડી પહેરવામાં આવી? ક્યા ગુના માટે તેને ઘસડીને ઓરડામાં પૂરી દેવામાં આવી ? ક્યા કારણસર તેને સુધાથી પીડિત કરવામાં આવી? શેઠની કે ચંદનાની બુદ્ધિમાં કંઈ વાત બેસતી ન હતી. છતાં નવકારમંત્રના શરણથી જે સત્ત્વ પ્રગટ થયું, તેણે ચંદનાને એક બળ આપ્યું કે તે ચંદનની જેમ શાંત-શીતળ ભાવે સમય કાપતી રહી. ન તેને રાજ્યનાં સુખોની સ્મૃતિએ સતાવી, ન તેને આ દિવસોના દુઃખે દીન કરી. ભાગ્યને દોષ દેતી બધી પ્રતિકૂળતા હોવા છતાં નવકારમંત્ર દ્વારા તેણે ભગવાન મહાવીરના શરણમાં મનને સમર્પણ કર્યું. વાત્સલ્યમૂર્તિ ધનાવહ ક્ષોભ પામીને ઊભા રહી ગયા, છેવટે દાસીએ શેઠને કહ્યું, કે ચંદના ત્રણ દિવસની ભૂખી છે. શેઠે તરત જ તેને ઓરડાની બહાર લાવી ઉંબરા આગળ બેસાડી, રસોડામાં ભોજનની તપાસ માટે ગયા. પણ ભોજન માટે કંઈ ન મળ્યું. ફક્ત પશુઓ માટે રાખેલા બાફેલા અડદના બાકુળા મળ્યા, તે તેમણે ત્યાં જ પડેલા એક સૂપડામાં રાખીને તેને ખાવા આપ્યા, અને શીવ્રતાએ ઘરની બહાર 4 હિતશિક્ષા # ૧૦૭ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy