SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ વસુમતીએ પણ પોતાના ઉદયમાં આવેલી પ્રતિકૂળતાનો પ્રતિકાર ન કરતાં, પ્રતિકૂળતાને પોતે અનુકૂળ થઈ રહી, કાર્યકુશળતા, વિનય અને નવા નામ પ્રમાણે શીતળ પ્રકૃતિને કારણે ઘરમાં સૌને પ્રિય થઈ પડી. છતાં રાજકન્યા મટી દાસી બની હતી, અને દાસીને યોગ્ય સર્વ કાર્ય કરતી હતી. જો કે શેઠ તેના પ્રત્યે પુત્રીવતું અત્યંત સ્નેહભાવ દર્શાવતા હતા. એ કોણ છે? ક્યાંથી આવી છે તે પ્રશ્નમાં ચંદના હંમેશાં મૌન ધારણ કરતી. ગુપ્તપણે પોતામાં રહેલું હીર-નૂર પ્રગટ થવામાં કોઈક વાર અજબ ઘટનાઓ ઘટતી હોય છે. માનવપ્રાણીની બુદ્ધિ તેનું માપ કાઢી શકતી નથી. સમયના વહેણ સાથે ચંદનામાં યૌવન પ્રવેશ પામ્યું, આથી ચંદના તરફ પ્રીતિ ધરાવતાં છતાં ક્યારેક મૂળા શેઠાણી કે જે ચાર દીવાલમાં સ્ત્રીપણે જીવેલી હતી. તેની પ્રકૃતિમાં કંઈક સંકુચિતતા ઊભી થતી. તેને ક્યારેક મૂંઝવણ થતી કે આવી રૂપાળી કન્યામાં ખીલતું યૌવન, શેઠનો તેના પરનો સ્નેહ, હાલ પુત્રી મનાતી આ કન્યા તરફ શેઠ મોહિત થઈ પરણે તો મારી દશા શું થાય? મૂળા શેઠાણીમાં આ વિચારે એવો ઘેરો ઘાલ્યો કે તેનું ચિત્ત ક્ષુબ્ધ થઈ ગયું. પછી તે દરેક પ્રસંગને શંકાથી જોવા લાગી. ભાઈ ! અશુભકર્મના ઉદયને આમંત્રણની જરૂર પડતી નથી તે તેનો સમય પાકતાં સ્વયં ઉપસ્થિત થઈ જાય છે. મૂળાનો પ્રકોપ એક દિવસની એ વાત છે. ગ્રીષ્મત્રતુના દિવસોમાં ખરા બપોરે તાપથી અને કાર્યથી પીડિત થયેલા શેઠ ઘરે આવ્યા. ત્યારે ચંદના જ ફક્ત ત્યાં હાજર હતી, પિતૃભક્તિથી પ્રેરાઈને અન્ય સેવક હાજર ન હોવાથી તે ઠંડું પાણી લાવી અને શેઠના પગ ધોવા લાગી. તે જ વખતે તેના શ્યામ કેશકલાપને શું સૂઝયું કે તેણે પોતાનું સ્થાન છોડી ભૂમિને આલિંગન કર્યું, ધોવાતા પગના મલિન પાણીમાં કેશકલાપ મલિન ન થાય તેવા નિસ્પૃહ ભાવથી શેઠે તેને પોતાના હાથ વડે ધારણ કરી તેના હિતશિક્ષા ૪ ૧૦૫ કાનાકારક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy