SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાનને સમસ્ત સૃષ્ટિને પોતાનું મળેલું સુખ વહેંચી દેવું હતું. વહેંચી શકાય, તેવા નિર્દોષ સુખની પ્રાપ્તિ માટે તેમણે જગતનાં ભૌતિક સુખો ત્યજી દીધાં હતા. અનાર્યદેશના લોકો તો ઉપદેશના દુકાળમાં જ વસે છે. તેમના પ્રત્યેની અનુકંપા અને પોતાને કોઈ જાણે નહિ એવા સ્થાનમાં જવું કારણ કે આર્યદેશમાં સિદ્ધાર્થનંદનને લોકો જાણતા હતા. આમ જાણે કોઈ ગૂઢ સંકેતથી ભગવાને અનાર્યદેશ બાજુ પ્રયાણ કર્યું. જ્યાં જંગલ પણ ભયંકર હોય. તે દેશોની ધરતી પણ પગને ઠરવા ન દે તેવી હોય, માનવો પણ હીન વૃત્તિવાળા, શરીરના બળિયા અને પાપપ્રવૃત્તિના રસિયા હતા. અનાર્યદેશમાં લોકોને ભગવાન શું ! મુનિ શું ! ભિક્ષા શું ! દીક્ષા શું ! કંઈ જ ભાન ન મળે. તેમાંય વલી નિર્વસ્ત્ર, એકાકી. એક વસ્ત્ર કે પાત્ર પણ પાસે ન મળે, આવા અવધૂત યોગીને જોઈ લોકોને આશ્ચર્ય થતું. કંઈક શંકાઓ થતી. આથી તેમના ગામમાં કે વાસમાં ભગવાન જતાં ત્યારે તેમને ધુત્કારીને લોકો કાઢી મૂકતા. ભગવાન તેમને કંઈ “પણ સમજાવવાનો પ્રયત્ન ન કરતા, તે સ્થાન છોડીને વૃક્ષ નીચે કાયોત્સર્ગમાં ઊભા રહેતા. ત્યારે વળી તે લોકો વધુ ખીજાતા. કોઈ તો ભગવાનને મારપીટ કરતા, અને છતાં ભગવાન કંઈ બચાવ ન કરતા, ત્યારે કૂતરા છોડીને ભગવાનને પરેશાન કરતા, પણ ભગવાનને જાણે કંઈ લાગતુંવળગતું ન હતું. પ્રભુ દેહાતીત દશામાં વિચરતા હતા. એક વાર ભગવાન કોઈ નાના ગામમાં ભિક્ષા માટે ગયા. અનાર્યવતનીઓએ આવું કંઈ જોયું ન હતું, તેથી તેમણે ભગવાનને ગામમાંથી કાઢી મૂક્યા. ત્રિશલાનંદન માટે રાજમહેલમાં એક નહિ અનેક વાનગીઓ ભોજન માટે તૈયાર રહેતી, અને આ મહાવીર સામે ચાલીને ભિક્ષા લેવા નીકળે ત્યારે જાકારો મળે. પણ ભગવાનને તો આવકારો-જાકારો સમાન હતા. ભિક્ષા ન મળે કે ગામમાં ઉતારો ન મળે. ભગવાન કોઈ વૃક્ષ ૧૦૦ × હિતશિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy