SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તે પેલાં ચરણચિહ્નો પાસે ત્યાં બેસી ગયો. તેના તમામ સામુદ્રિક જ્ઞાનને તેણે કામમાં લીધું. પણ જવાબ એક જ મળતો હતો કે આ ચક્રવર્તીનાં પગલાં છે. છેવટે તેણે નિર્ણય કર્યો કે જો આ ચક્રવર્તીનાં પગલાં ન હોય તો મારું સામુદ્રિક જ્ઞાન ખોટું ઠરશે, તો તમામ શાસ્ત્રને ગંગાનદીને ચરણે ધરી દઈશ. આમ વિચારી તે, પગલે પગલે આગળ વધ્યો. એક વૃક્ષ આગળ પગલાં અટકી ગયાં. અને એણે જોયું કે આ તો એક નિર્વસ્ત્ર એકાકી ખુલ્લા પગવાળો માનવ છે. એ ચક્રવર્તી કેમ હોઈ શકે ? તે અત્યંત નિરાશ થઈ ગયો. તેણે ધ્યાનમુદ્રિત ભગવાન સામે પુનઃ દૃષ્ટિ કરી, ભગવાનને નખશિખ જોયા. ક્ષોભ પામી ઊભો રહ્યો. પરંતુ ચક્રવર્તીનું કોઈ ચિહ્ન ન મળતાં તેણે કરેલા નિર્ણય પ્રમાણે શાસ્ત્રો ઉપાડીને ગંગામાં પધરાવવા ચાલ્યો. ત્યાં તો ઈન્દ્ર અવધિજ્ઞાનમાં આ હકીક્ત જોઈ અને તરત જ ઈન્દ્રરાજ ભગવાનની ભક્તિથી આકર્ષાઈ તે જ ક્ષણે ધરતી પર આવ્યા. તેમણે સામુદ્રિકને શાસ્ત્રોને ગંગામાં પધરાવતો અટકાવ્યો અને કહ્યું, ભૂદેવ ! તમારું જ્ઞાન સાચું છે. તમે ઉતાવળ ના કરો. તમે જોયાં તે ચક્રવર્તીનાં જ પાદચિહ્નો છે. સામુદ્રિકે ઈન્દ્રની વાત સાંભળી. પણ તેનું સમાધાન કેવી રીતે થાય ! ક્યાં ચક્રવર્તીનો નવનિધાન અને ચૌદરત્નો સહિતનાં રસાલો, ક્યાં હજારો માનવો અને દેવોથી માન પામતો ચક્રવર્તી અને ક્યાં વસ્ત્ર, અસ્ત્ર, સૈન્ય, પરિવારરહિત આ માનવ? ચક્રવર્તીને અને આ માનવને કોઈ સંબંધ નથી. પુષ્પની આ મૂંઝવણનો અંત લાવવા પૂછ્યું કે “તમારા સામુદ્રિકશાસ્ત્રમાં શું એકલા ચક્રવર્તીની જ વાત છે, ધર્મ ચક્રવર્તીની વાત એમાં નથી? ભાઈ આ તો ત્રણેલોકના નાથ છે. ધર્મચક્રવર્તી છે. ચક્રવર્તીથી પણ મહાન છે. ચક્રવર્તીઓ તેમના ચરણની ધૂળને પવિત્ર માની મસ્તકે ચઢાવે છે.” પુષ્પને ખુલાસાથી સંતોષ થયો. છતાં ઇન્દ્ર તેની અભિલાષા પૂર્ણ { ૯૮ હિતશિક્ષા - - - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004903
Book TitleMaundhari Mahavirthi Maleli Hit Shiksha
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1995
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy