________________
માપ કેવી રીતે કાઢે ? આથી જ્ઞાનીજનોએ વર્ણાદિની સરખાઈને ધ્યાનમાં લઈ આ પદાર્થોના ભેદની ગણતરી કરી આપી. એ ભેદ જાણવાનો હેતુ ફક્ત પરપદાર્થોનો રાગ ત્યજવા માટે છે.
એ જડ પદાર્થો આત્માને કંઈ આપી શકે તેવું તેનામાં કંઈ બળ નથી. વાસ્તવમાં જડમાંથી આત્મા કંઈ ગ્રહણ કરે તેવો તેનો સ્વભાવ નથી. માટે પરપક્ષે રાગનો પરિહાર કરવો. દેહાદિ હું, રાગાદિ હું, મારા વડે તેમાં ફેરફાર થાય તેવી એકત્વબુદ્ધિથી અજ્ઞાનીજીવ રાગાદિનો કર્તા બને છે. પરંતુ જ્ઞાન વડે તે જાણે છે કે હું દેહાદિ નથી. રાગાદિનો કર્તા નથી, કે રાગ એ મારા સ્વરૂપનું કાર્ય નથી. એવા ભાન વડે રાગાદિની એકતા છૂટે છે.
દેહાદિમાં જેને રાગ વર્તે છે. પુદ્ગલમાં જેની કર્તુત્વબુદ્ધિ છે, તે સ્વરૂપનો બોધ પામતો નથી. જ્ઞાની જાણે છે કે હું દેહાદિનો કર્તા નથી. મારા આધાર વગર તે તે પદાર્થો સ્વયં પરિણમે છે. માટે મારે તેનો પક્ષ કરવા જેવો નથી. પૌગલિક જડ પદાર્થો પણ અનેક ગુણવાળા છે પરંતુ તે તે પદાર્થો પોતાના ગુણને જાણતા નથી. તે પદાર્થોનાં ગુણોને અને પોતાના ગુણોના વૈભવનો જાણનાર આત્મા છે. માટે પરના પક્ષના રાગને ત્યજી દેવો. રાગાદિ વિકલ્પ તે આત્માનું મૂળ સ્વરૂપ નથી. વિભાવદશાને તે પોતાનું સ્વરૂપ માની બેઠો છે. પરંતુ સદ્ગુરુના બોધ દ્વારા તેને સાચું ભાન થાય છે. ત્યારે તેને આત્માના શુદ્ધસ્વરૂપનો બોધ થાય છે.
આત્માની શુદ્ધતાનો બોધ હૃદયમાં ધારણ કરો. આત્માનું સુખ જેને પ્રાપ્ત કરવું છે તેણે આત્માને સાંભળવો. તેનું ચિંતન કરવું. તેનું જ નિર્દિધ્યાસન કરવું. શુદ્ધાત્મામાં રાગાદિનો અભાવ છે. રાગાદિમાં પરિણમવું તે અશુદ્ધતા છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં ટકી રહેવું. રમણતા કરવી તે આત્મશક્તિનો પ્રાદુર્ભાવ છે. શક્તિનો પ્રભાવ એવો છે કે રાગાદિ પરપક્ષને તોડીને કેવળજ્ઞાનને પ્રગટ કરે. રાગનો પક્ષ કરવો તે પરાધીનતા છે. માટે અંતરમાં આત્માની શુદ્ધતાનો બોધ પામજે, તેમાં જ લીન થજે.
શુદ્ધાત્મામાં રમણતા થતાં જીવ એવા સ્થળમાં સ્થિર થાય છે
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૬૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org