________________
છે. તે સિવાય સાત તત્ત્વો સાંયોગિક છે.
જીવ એટલે ચેતનાનો પુંજ આત્મા સ્વભાવે સ્વરૂપનો કર્તા હોવાથી તેનો જ ભોક્તા છે. વિભાવે જીવ કર્મનો કર્યા હોવાથી ભોક્તા થાય છે. કર્મના સંયોગે જીવ ચારે ગતિમાં પરિભ્રમણ કરે છે. જીવ સ્વભાવે અરૂપી છતાં દેહના સંયોગે રૂપીપણું પામે છે. ગમે તેવાં શરીર ધારણ કરે, છોડે, છતાં આત્મા સ્વભાવે અવિનાશી છે. સમતાગુણથી સમસ્વભાવી છે, ઉદ્ધતાગામી છે. જ્ઞાનાદિ ગુણોવાળો છે.
જીવમાં અજ્ઞાનવશ રાગાદિ થાય છે, રાગાદિને કારણે વિકાર પેદા થાય છે, તેથી આત્મપ્રદેશ સાથે કર્મનો બંધ થાય છે. પુદ્ગલ અશુદ્ધ ચેતનાના સંયોગે કર્મરૂપે પરિણમે છે. આવો સંબંધ સાંયોગિક છે. નિત્ય રહેવાવાળો નથી. બંને દ્રવ્યો પોતાપણે પરિણમે છે, પરંતુ અન્યોન્યને અસર ઉપજાવે છે. છતાં આત્મા જ્ઞાનસ્વરૂપ હોવાથી કર્મના સુખદુઃખને જાણે છે. અને અજ્ઞાનવશ ભોગવે છે. કર્મ જડ છે ચેતનાના સંયોગમાં આવી ફળ આપે છે.
અજીવ તત્ત્વમાં રૂપી અને અરૂપી બંને દ્રવ્યોનો સમાવેશ છે. આપણા પરિચયમાં આવતા ખાટલા, પાટલા, વસ્ત્રો, પાત્રો. તથા દેશ્યમાન તમામ પદાર્થોનો સમાવેશ અજીવ તત્ત્વમાં થાય છે. આ ઉપરાંત અરૂપી ચાર દ્રવ્યો અજીવ છે. પૌગલિક પદાર્થો રૂપી છે.
૧. ધર્માસ્તિકાય. જીવ અને પુદ્ગલને ગતિ સહાયક, એક છે. વિશ્વવ્યાપી છે. - ૨. અધર્માસ્તિકાય. જીવ અને પુદ્ગલને સ્થિતિ સહાયક એક છે. વિશ્વવ્યાપી છે.
૩. આકાશાસ્તિકાય. સમગ્ર પદાર્થોને જગા આપે છે. એક છે. વિશ્વવ્યાપી છે.
૪. કાળશાસ્તિકાય. સમગ્ર પદાર્થોના પરિવર્તનમાં સહાયક. અનંત છે. વિશ્વવ્યાપી છે.
ક્રમ : તત્ત્વનાં નામ અને ભેદ : નવતત્ત્વનું સ્વરૂપ વ્યાખ્યા ૧. જીવઃ જે ચેતના લક્ષણયુક્ત છે, જે જીવે છે, જે પ્રાણોને
પુદ્ગલનો પરિહાર : પરમાર્થની પ્રાપ્તિ
૧૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org