________________
પરમાત્મા પ્રત્યે પ્રાર્થના
હે પ્રભુ !
આ જગતમાં જન્મ ધારણ કરીને મને દુ:ખના કે સુખના ગમે તે પ્રતિબંધ હો, પરંતુ તારા કૃપામૃતમાં મને કોઈ પ્રતિબંધ બાધક ન થાય તેવી ભક્તિયુક્ત શક્તિ આપજે.
રોજ પ્રભાતે તેજરાશિના કિરણો તમસને દૂર કરે છે તેમ મારામાં રહેલા અજ્ઞાનના તમસને તારા જ્ઞાનપ્રકાશનાં કિરણો અજવાળી દે તેવી મારી પ્રાર્થના સ્વીકારજે.
સાંસારિક આપત્તિથી ઘેરાયેલા તારા ભક્તો જ્યારે પ્રભુ ! તારી સમક્ષ આવીને ઊભા રહે છે, ત્યારે તે આપત્તિ તેમને સંપત્તિ બની જાય છે. એટલે તારા સહૃદયથી ભક્તો તારી પાસે તુચ્છ વસ્તુઓ માંગી શકતા નથી, અને તેથી તેમને તારામાં રહેલો અમૃત સ્રોત પ્રાપ્ત થાય છે. પરમાર્થની પ્રાપ્તિ સહજ થાય છે.
હે પ્રભુ ! તમારી ભક્તિના રહસ્યો અદ્ભુત છે. એટલે ગમે તેવા કષ્ટમાં પણ તમારું વાત્સલ્ય અમને ટકાવી દે છે. અને અમારે તારી પાસે કંઈ માંગવાનું જ રહેતું નથી, અને શું આપવું તે આપ જાણો છો.
અંતમાં પ્રભુ, તારા ગુણગાન ગાતાં ગાતાં મારી ચેતના શુદ્ધ બની જાય અને તારામાં સમર્પિત થાય તેવી મારી પ્રાર્થના છે, તે સ્વીકારજો. પરમાર્થના પંથે ટકાવજો.
ઇતિ શિવમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org