SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ એ વાણી દ્વારા ભાવમાં લીન થવાય છે. પ્રભુનું છેલ્લી કોટિનું સિદ્ધ સ્વરૂપ વિચારી તેમના અનંત ગુણોને સંભારી પૂજા શરૂ કરવી. તેનાથી ચિત્ત પવિત્રતા પામે છે. પૂજાનો નિષેધ ન હોય પણ આવી રીતે ભાવપૂર્વક પૂજા કરવી. બીજા કષ્ટ વેઠવા કરતાં ઈદ્રિયોને જિનપૂજામાં સ્થિર કરવી સરળ છે. આ કાળમાં તીર્થકર ભગવંતોનું પ્રત્યક્ષ દર્શન સંભવ નથી. આથી પ્રતિમાની અંદર પ્રાણપ્રતિષ્ઠા કરી, જિનભાવની સ્થાપના કરી ભાવથી શુદ્ધ થવું. જિન પ્રતિમા શ્રેષ્ઠ આલંબન છે. કેવળ સ્નાન, વસ્ત્રથી શુદ્ધ થઈને અંગપૂજા કરવા સાથે ઈદ્રિયોની શુદ્ધિ જરૂરી છે. બાળ સુલભ જ્ઞાનથી જ્ઞાનપૂજા ન થાય સદોષ કર્મમળ કાઢવા નિર્દોષ આલંબન જોઈએ. વિતરાગની પ્રતિમા જેવું નિર્દોષ આલંબન બીજું કયું હોઈ શકે? તિર્થંકર નામકર્મ ધારણ કરી પ્રભુએ જગત પર મહાન ઉપકાર કર્યો છે. લોકો આ કાળે પણ તે દ્વારા ધર્મ જાણી શકે છે. ધર્મના માર્ગે જઈ શકે છે. ધ્યાન જેવી ક્રિયામાં જવા માટે પણ જિનસ્વરૂપનું આલંબન નિર્દોષ છે. કોનું ધ્યાન કરવું છે તેનું જ્ઞાન ન હોય તો તે સમયે વિકલ્પ ઊઠશે. ત્યાગને બદલે ભોગ સતાવશે. માટે જિનપૂજા જેવા આલંબનથી અંશે શુદ્ધ થયેલું ચિત્ત ઘણા ભવને સુધારશે. શુદ્ધભાવના તો અડધો પંથ કાપી નાંખશે. જિનબિંબ અને જિનઆગમ મહાન સહવાસરૂપ છે. ભાવનાના પ્રબળપણાને કારણે કૃષ્ણ અને શ્રેણિક જેવાએ નારકીબંધની દશાને ઘટાડી અને સમભાવે વેદી શકાય તેવી દશા પ્રાપ્ત કરી. જિનપૂજા જેવી પૂજા કરતાં કરતાં કેટલી શુદ્ધિ થઈ તેનું અનુમાન થાય. ભાવ પ્રમાણે આચાર ન થાય તો તે તરંગ કહેવાય. તીર્થ સેવનથી શુદ્ધિ થઈ શકે. એકલવ્ય ગુરુની માટીની અસતુમૂર્તિની શ્રદ્ધાથી મહાન બાણાવળી થઈ ગયો. તો જિનપ્રતિમાનું સસાધન મેળવીને જ્ઞાન પ્રાપ્ત ન કરી શકીએ ? દુનિયામાં પ્રવૃત્તિ ધર્મ માટે થાય છે તેના કરતાં તે ધર્માભાસ વધુ ખડો કરે છે. અજ્ઞાનના માર્ગથી જ્ઞાનગુણ ઘાત પામશે. આ કાળે મુક્તિ થઈ શકે તેવાં સાધનો પ્રાપ્ય નથી પણ જ્ઞાન પ્રાપ્ત કર્યું હશે તો તેનો અન્ય ભવમાં સહવાસ મળી રહેશે. દર્શન કરવાને દર્શનગુણ છે. ભાવપૂજા તે ચારિત્રનો ગુણ છે. જો કેવળ ઓઘદૃષ્ટિ રહી તો પૂજન સ્વરૂપ અવલોન ૬૫ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy