SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મા કે મુક્તિને માનતા નથી તેમણે તો કંઈ વિચારવાનું નથી. માર્ગે ચાલવું છે તેને જ્ઞાનની જરૂર છે નહિ તો ઉન્માર્ગ કે ભળતો માર્ગ બતાવનારા, સાચા માર્ગથી વિમુખ માર્ગદર્શક મળી જતાં જીવ ભ્રાંતિમાં પડશે. વર્તમાનની દશાના ભાન વગર કેવળ નિશ્ચયમાર્ગ બતાવવો તે એકાંત માર્ગ છે. જેમકે જિનપૂજા જ મુખ્ય સાધન છે અથવા સત્સંગ મુખ્ય સાધના છે બીજા સાધન ન કરવા. આ સત્ય છતાં અસત્ય છે. કારણકે એકાંત ક્રિયા સૂચક છે. પૂજામાં કે સત્સંગમાં આત્મભાવ મુખ્ય કારણ છે. માટે અનેકાંત રીતે ગુરૂગમે વિચારણા કરવી. સાધનદશાને સિધ્ધિદશા માને તો ઉન્માર્ગે જાય. ક્રિયાનો અભાવ નહિ અને ક્રિયાજડપણું નહી તેવો આ ધર્મ છે. સત્યના આગ્રહના નામે કષાય કેળવે તો તે ઉન્માર્ગ છે. દૃષ્ટિ કેળવવાને બદલે દૃષ્ટિ વિપર્યાસ થાય. અને તેના વાદવિવાદ થાય. જૈનધર્મ અનેકાંતવાદ છે એટલે સર્વ પાસાથી વિચારણા કરીને સમાધાન કરે તેવો વાદ છે. ગણધરવાદની દેશના સમાધાન માટે છે. ગણધરો કંઈ વાદવિવાદ કરતાં ન હોતા. સર્વજ્ઞ પ્રભુ દ્વારા શંકાનું સમાધાન તે ગણધરવાદ. સર્વજ્ઞ અને ગણધરોના જ્ઞાનનો મહિમા એમાં સમાયેલો છે વળી ક્રિયામાત્ર કે પુણ્ય-શુભક્રિયા એ પાપ છે તેમ કેવળ નિશ્ચયરૂપે એકાંત ગ્રહણ ન કરવું. સ્યાદ્વાદ શૈલીરૂપ જૈન ધર્મ અન્ય ધર્મને હલકો ન માને તે ધર્મના તત્વની જેટલી તથારૂપતા હોય તેટલી જણાવે. કોઈને અધર્મી ન માને. ધર્મી કોઈને હલકા ન માને. દરેક જીવ ધર્મ પામવાને યોગ્ય છે તેવી ઉદારતા રાખે. રાગ દ્વેષને જીતે તે જૈન છે. દીગંબર હોય શ્વેતાંબર હોય કે સ્થાનકવાસી હોય જેનામાં સાચું જૈનપણું છે તે મહાવીરના માર્ગનો યાત્રિક છે. ન ઉપદેશનો અર્થ છે, ઉપ એટલે પાસે દેશ-બોધ જે વિષયનો ઉપદેશ તે જ વિષયની પાસે લઈ જાય તે ઉપદેશ. તપ, સંયમ, ત્યાગ કે વૈરાગ્ય જે વિષય હોય તે બોધ તે રૂપે પરિણમે તે ઉપદેશ છે. મોક્ષમાર્ગના આરાધકને પુણ્યની લાલચમાં પાડવા તે ઉપદેશ નથી. કોઈ આ કાળે શીઘ્રગતિએ જઈ શકે તો પણ માર્ગ તો નિર્જરાનો જ લેવો. માર્ગમાં ભ્રાંતિ થાય એટલે દિશા બદલાઈ જાય. પ્રભુ પાસે જઈ સ્તવનાદિમાં પ્રભુના ગુણ ગાઈએ છીએ અને આપણા દોષ પણ ગાઈએ છીએ. આત્મનિંદા કરી પાછો જો એવો ને એવો રહે ૨૬૬ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy