SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ જાય, આત્મા ને ધર્મના પરિણામ સ્પર્શે નહિ તો શું થાય ? સાચી સમજપૂર્વક્નો અંગે પણ પુરૂષાર્થ થાય તો સાચો માર્ગ મળે. ઉપદેશક પોતે જે માર્ગથી તર્યા નથી, અને તેવા માર્ગનો ઉપદેશ કરે તો તે અબુધ કહેવાય. જે માર્ગ પામ્યા છે અને પમાડે છે તે જ્ઞાની છે. અનંત જીવન સુધી સતત પુરૂષાર્થ થાય. મન અત્યંત શુદ્ધ થાય, ત્યારે અંતિમ જીવનમાં પૂર્ણ શુદ્ધતા પ્રાપ્ત થાય. એથી કંઈ મૂંઝાવાની જરૂર નથી. હાલ મતિ અને શ્રુતજ્ઞાન શુદ્ધ થાય, સમકિત દષ્ટિ વિકસે અને મુક્તિનો અભ્યાસ સાધ્ય બને, ત્યાં સુધી એ માર્ગને છોડવા જેવો નથી. આ કાળે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ પ્રમાણે જે રીત મુક્તિ સાધ્ય છે, તે કરી લેવી. તો કાળક્રમે સંપૂર્ણ મુક્તિ સાથે થશે. માટે શુભકર્મના ઉદયકાળે ભોગમાં પડી જવાને બદલે જાગૃત રહી કર્મથી મુક્ત રહેવું. સતુ, દેવ, ગુરૂ, ધર્મની યથાયોગ્ય શ્રદ્ધા ન હોવાથી જીવ ઉન્મા જાય છે. એ ઉન્માર્ગના બે અર્થ છે. એક તો અસતુમાં સત્ની બ્રાંતિ અને સતુમાં અસતુની ભ્રાંતિ. અસત્ અસત્ રૂપે દેખાય તેથી તેની ભ્રાંતિ દૂર થાય. પરંતુ સતું ચક્ષુગોચર નથી તેની ભ્રાંતિનો નિર્ણય થતો નથી. તેથી સતુ-આત્માના અસ્તિત્વ વિષે તેના નિત્યપણા વિષે મતભેદ થયા. આત્મા સ્વતંત્ર તત્વ છે. નિત્ય છે. એક દેહમાં બાળાદિ અવસ્થા બદલાય છે અને આત્મા નિત્ય રહે છે. તે ત્રણે અવસ્થાને જાણે છે. આત્મા કોઈ ઈશ્વરનો અંશ નથી. તેની મુક્તિ સ્વતંત્ર છે. વિભાવદશામાં આત્મા સંસારી કહેવાય છે. વિભાવથી મુક્ત થતાં સ્વભાવ પ્રગટે. અકામ નિર્જરા કરી મનુષ્યભવ આવ્યો, આ દેહ સમ્યગૃષ્ટિ પ્રાપ્ત કરે તો સકામ નિર્જરા થાય. એ દશા મનુષ્યદેહે સાધ્ય છે. આ કાળે ક્ષયોપશમથી શકય તેટલી સ્વભાવદશા સાધવાની છે. જીવ કેવળ વિભાવમાં જ રહે છે તેવું માની હનપુરૂષાર્થી ન થવું. આત્માની શક્તિ અનંત છે. જગતમાં કર્મ રચના વ્યવસ્થિત છતાં સર્વ અનિયમિત છે. જે આજે સુખીયો છે તે કાલે દુઃખી થાય છે. દુખીયો છે તે કાલે સુખીયો થાય છે. યુવાન મૃત્યુ પામે છે અને વૃદ્ધ આયુષ્ય ભોગવે છે. કર્મની આવી વિચિત્રતા જાણી અબંધદશાના સુખનો વિચાર કરવો. ઉપાદાનની શુદ્ધિ માટે શુદ્ધ નિમિત્ત શોધવા. બંધનમાં મુક્તિ નથી મુક્તિને માર્ગે મુક્તિ મળે. જે સ્વરૂપ અવલોકન Jain Education International ૨૬૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy