SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ (૬) આધુનિક વિજ્ઞાનના મતે : વિજ્ઞાનને અનેક પ્રયોગ કરી વનસ્પતિ આદિમાં જીવના હોવાપણાને સિદ્ધ કર્યું છે. કેવળ ભૌતિક કે પદાર્થજ્ઞાનને કારણે જીવોની ઉત્પત્તિના કાર્યકારણભાવને તેઓ સિદ્ધ કરી શકયા નથી કારણ કે આત્મા તે પ્રયોગાત્મક કે બુદ્ધિગમ્ય નથી. સ્વભાવધર્મના કાર્યકારણભાવને ન્યાય આદિ શાસ્ત્રમાં પ્રમાણ કરેલો છે. (૭) પુનર્જન્મ : વર્તમાનકાળમાં જાતિસ્મરણાદિ જ્ઞાન કવચિત જાણવા મળે છે. છતાં સ્મૃતિ, સંસ્કાર આદિની તીવ્રતા મંદતામાં પુનર્જન્મનાં પ્રમાણ મળી રહે છે. પ્રેમ અને વેરની તીવ્રતા મંદતાથી પણ પુનર્જન્મના સંસ્કારનું પ્રમાણ મળે છે. બાકી રહેલી વાસનાઓ ફરી ફરીને જન્મ અપાવે છે. અને પોતાના કર્મઅનુસાર જન્મ મળે છે. આત્મસ્વરૂપ : સર્વ જીવો મોક્ષની આરાધના કરે અને સર્વ જીવો મુક્ત થઈ જાય તો સંસાર કેમ ચાલે તેવો પ્રશ્ન કોઈને ઊઠે છે. જીવ માત્રનાં એવાં ઉત્કૃષ્ટ શુદ્ધ પરિણામ થવાં જ દુષ્કર છે કે સૌ સંસારના બંધનથી મુક્ત થઈ જાય. વળી જગતમાં અનેક યોનિઓમાં અનંત જીવ રાશિ પડી છે. તેમાં અનંત જીવો ઉત્પન્ન થાય છે અને મરે છે. એટલે અનંત જીવો મોક્ષે ગયા તોય સંસાર ચાલે છે અને અનંતજીવો મોક્ષે જશે તોય સંસાર ચાલશે. માટે સંસારમાં જીવવાનું વહાલું લાગે તેને ચિંતા કરવાની જરૂર નથી પણ જેને મોક્ષ વહાલો લાગ્યો છે તેને પ્રમાદ કરવાની જરૂર નથી. એક ક્ષણનો પ્રમાદ ભવભ્રમણને નોતરે છે. સ્વરૂપનું સંવેદન આત્માના ચૌદમા ગુણસ્થાનક સુધી રહે છે. જીવમાત્રને સંવેદન હોય છે તે કેવળ ચેતનના હોવાપણાને કારણે છે. બાહ્ય અને આંતરયોગના સમત્વનું સંવેદન જાગૃત દશાવાળા જીવને હોય છે. વિભાવદશામાં સમત્વનું સ્વસંવેદન નથી. વિભાવ દશામાંથી ઉત્પન્ન થતા જડકર્મને પ્રમાદી જીવ જાણી શકતો નથી. અસંખ્ય પુદ્ગલ પ્રદેશોના સમૂહને તે જાણી શકે છે. જેમકે શરીરની વ્યાધિ ઈત્યાદિમાં વેદનાને જાણી શકે છે. જ્ઞાનીપુરુષો સૂક્ષ્મ એવા કર્મ પરમાણુને જાણી શકે છે. આત્મસ્વરૂપને જાણી શકે છે. કેવળજ્ઞાનીનું જ્ઞાન સ્વપર પ્રકાશક છે. આત્મસ્વરૂપ સ્વપર પ્રકાશક છે. દીપક જેવો તેનો ગુણ છે, દીપક પોતે પ્રકાશે છે અને બીજા પદાર્થોને પણ પ્રકાશ આપે છે. સ્વરૂપનું જ્ઞાન જ Jain Education International For Private & Personal Use Only ૨૫ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy