SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ભવે મુક્ત થશે. રામે રાજનીતિને કારણે આપદધર્મ સમજી યુદ્ધ ખેલ્યું, અંતરમાં ખેદ હતો. તે જ ભવે કર્મ ખપાવી મુક્ત થયા. એટલે મહાન સુધારણા કરી શકયા. આપણે મૃત્યુ કઈ રીતે સુધારીશું? તે માટે ઉત્તમ ક્ષમાભાવ ધારણ કરવો. મૃત્યુ સમયે ચેતના જાગૃત ન હોય ત્યારે સુધારણા થઈ ન શકે અને સ્નેહીજનો તો જડનો ઉદ્ધાર કરવામાં પ્રવૃત્ત હશે, ત્યારે કોણ બચાવશે અને મૃત્યુ થતાં સી ફૂંકી દેવા ઉતાવળ કરશે. માટે જીવ ભાવના કરવી. ચત્તારિ શરણં પહજજામિ. એકાંતમાં સાધકે ક્ષમા ધર્મનું ચિંતન કરવું. સાધુનું પ્રથમ પગથિયું જ ક્ષમા છે. ઉચ્ચ કોટિના સાધકો-સાધુની ક્ષમા સહજ હોય છે. હું ક્ષમા કરું છું તેવો ભાવ પણ નથી હોતો. ક્ષમાને સ્વધર્મ જાણ્યો છે. જેનશાસનનું બીજું નામ આપવું હોય તો સ્વ-પર ક્ષમાશાસન આપી શકાય. દર્શન-જ્ઞાન અંતર્ગત ક્ષમાનું સ્વરૂપ સમાયેલું છે. ભાવ ક્ષમાના પૂર્ણ અધિકારી કેવળી ભગવંત છે. અક્ષમાનું પરિણામ સંસાર ભ્રમણ છે. આથી જ્ઞાનીઓએ કરૂણાવંત થઈ બાળ, વૃદ્ધ, ગ્લાન, જ્ઞાની, અજ્ઞાની સૌને સમકિત સાથે આવા ધર્મોનું સહજ પાલન દર્શાવ્યું. તેના વડે મુક્તિની સાધના સરળ બને. સહજ ક્ષમાભાવમાંથી કરૂણાનો જન્મ થાય છે. બાહ્ય કરૂણામાં કંઈક અપેક્ષા રહે છે. ભાવ કરૂણા દરેકનું આત્મકલ્યાણ ચાહે છે. કરૂણામય જ્ઞાની વિચારે છે કે સુખ ચાહનારા આત્માઓ શા માટે પરવાદ અને પરભાવમાં પડયા છે? તેમને નિદ્રામાં પણ સુખ નથી. ભય, ચિંતા તેને ઘેરી વળે છે. જાગૃત અને નિદ્રાવશ બંને આત્માઓને જ્ઞાનીઓએ કરૂણારૂપ જોયા છે. આત્મા પરભાવથી દુઃખી છે તે જાણી સર્વભાવથી ઔદાસીન્ય થઈ જ્ઞાનીઓએ સ્વરૂપે પ્રગટ કર્યું છે. અને સર્વ જીવો દુઃખથી મુક્ત થાય તેવી ભાવના કરી છે. તેવી ઉત્કૃષ્ટ ભાવના તે “સવી જીવ કરૂં શાસન રસી એવી ભાવદયા મન ઉલ્લસી” આવા ભાવે તિર્થંકરપણે દેશનાનું વહન થાય છે ત્યારે દરેક જીવ સુખ અનુભવે છે, બોધ પામે છે, નિર્ભયતા અનુભવે છે. તે સમયે કરૂણામય દેશનાવૃષ્ટિને કારણે જીવોના દુષ્ટ પરિણામો શાંત થાય છે. એ માર્ગના આપણે યાત્રીઓ છીએ તેવો ભાવ પેદા કરવા અભ્યાસ કરવો. ધર્મધ્યાન વડે વિકાસ કરવો, નિજ સુખ માટે તો ધર્મધ્યાન ૨૪૬ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy