SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનના પ્રારંભથી જયારથી ક્ષમાનું સ્વરૂપ સમજમાં આવ્યું ત્યારથી અંત સુધી તેને પૂર્ણપણે આચરવું પડે છે. કુંદકાચાર્ય જેવા ક્ષમાવાન આચાર્ય આખરી ક્ષમા ચૂકી ગયા ત્યાં કર્મ ભૂલથાપ ખાતું નથી. એ કાળના રાજપરિબળોમાં ધર્મ પાળવો કેવો દુષ્કર હતો? સ્કંદકાચાર્ય સહિત પાંચસો મુનિને કુરપણે ઘાણીમાં પીલવાનો રાજયાદેશ છે. વિધર્મની આ અક્ષમતા હતી. આચાર્યે ધર્મની શોભા અને સાધુતા માટે એ ઉપસર્ગ સહી લીધો, ૪૯૮ શિષ્યો ક્રમસર ઘાણીમાં પલાઈ ગયા છે. દરેક શિષ્યને આત્માની અમરતાનું ભાન કરાવી સમાધિમરણની આરાધના કરાવી છે. અંતે ૪૯૯નો નંબર છે. બાળમુનિ એવો પુત્ર, તેને બચાવવો નથી. પણ તેના પહેલા પોતે સમાધિ લે તેવી તેમણે વિનંતી કરી. પૂર્વના વૈરભાવથી ભાન ભૂલેલા રાજાને તો આથી વધુ વેરરસ ઉત્પન્ન થયો. તેથી તે વિનંતીની અવગણના કરી. અને બાળમુનિને પ્રથમ પીલ્લા આચાર્યને આ ખુલ્લી આંખે જોવાનો આદેશ હતો. ૪૯૮ શિષ્યો પીલાયા ત્યાં સુધી આચાર્યે કર્મ તત્ત્વ પર શ્રદ્ધા રાખી ક્ષમા ધારણ કરી. પોતાનો બચાવ પણ ચિંતવ્યો નથી. ફકત બાળમુનિ એવા પુત્રની સમાધિ જોવા પહેલાં પોતે મૃત્યુ સમાધિ લે, તો એ કુરકર્મ તેમને જોવું ના પડે તેવો વિકલ્પ હતો. - રાજાએ તેમની વિનંતી અવગણી અને બાળમુનિનું મૃત્યુ જોતાં તેમની ક્ષમા ચલિત થઈ. અક્ષમ્યભાવ ચરમસીમાએ પહોંચ્યો. સમાધિને વિસરી ગયા અને રાજા સાથે વૈરભાવનું નિયાણું બાંધી, વ્યંતર જેવી યોનિમાં જન્મ ધારણ કરી રમ્ય દેશને અરણ્ય બનાવ્યો. વળી સંયમની આરાધના હતી તેથી પાછો ક્ષમાધર્મ પામવાનો યોગ મળ્યો. કર્મનો સિદ્ધાંત આવો છે. ૯૯ પળ શાંતિ-ક્ષમા, સમતા હોય અને એક પળ ન હોય તો શું બાધ આવે? અરે આયુબંધ ન પડ્યો હોય તો અધોગતિ જ થાય. એક પળનો દોષ મુકિતમાં નભતો નથી. ત્યાં તો સો ટચનું સોનું શુદ્ધ ગણાય છે તે પરમાર્થયાત્રા પ્રારંભથી અંતિમ અખંડિત હોય છે. રામ-લક્ષ્મણ અને રાવણ ત્રણે સમકિતી હતા. રામ અસત્ ક્રિયા ખપાવવા યુદ્ધ ચઢયા. રાવણના મૃત્યુ સમયે રામે સમાધિ મરણની સાધના કરાવી પણ આયુબંધ થયેલો તેથી તેમાં ફેરફાર ન થઈ શકયો. રાવણ નરકગામી થયા. છતાં સમકિતી હોવાથી ત્યાં મહાનિર્જરા કરી પછીના સ્વરૂપ અવલોકન Jain Education International ૨૪૫ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy