SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધાંતમાં આવો અધ્યાત્મવાદ ઉપદેશ્યો છે. આત્મા સ્વરૂપે શુદ્ધ હોવા છતાં વર્તમાન દશા કેવી છે તે આ સિદ્ધાંતો દર્શાવે છે. પૌદ્ગલિકભાવ દૂર થતાં ચૈતન્ય કેવું પ્રગટે છે, અને મુક્તિનું શું રહસ્ય છે તેનો આ અધ્યાત્મ ગ્રંથમાં અભ્યાસ થાય છે. કષાયની ઓળખાણ ન થાય ત્યાં સુધી ચારિત્ર મોહનીયની પ્રકૃતિ સમજાતી નથી. નિમિત્ત પ્રમાણે કષાય ઉગ્ર થાય તો સાધુપણું કે દર્શનશુદ્ધિ ટકે નહીં. કષાયજય વગર છૂટકો નથી તેમ સમજાય ત્યારે આત્મા સમતુલા જાળવી શકે. નિશ્ચયથી કેવળ ચોથામાં રહી ક્ષાયિકભાવની કલ્પના કરે તો સમતુલા ન રહે. ચોથા ગુણસ્થાનકે વ્યવહારનો ઉદય હોય તો ય આત્મદશા અલિપ્ત રહે. જીવ માતા, પિતા, પુત્ર, મિત્ર, સ્ત્રીભાવનો રાગી થાય નહીં. ધર્મસ્થાનમાં બાળભાવને ત્યજે છે. દરેક ક્રિયામાં ભાવશુદ્ધિ રહે છે. ધનથી ધર્મ થશે, તેવી લૌકિકભાવના ઉભવતી નથી. જિનદર્શન દર્શનશુદ્ધિ માટે છે. જિનપૂજામાં સારી સામગ્રીના મોહમાં રહે તો દર્શનમોહ થાય. કર્તવ્યધર્મ કરવા છતાં પણ જીવ હતો ત્યાંને ત્યાં રહે. પોતાના દોષો ઓછા કરવા તે જ સાચી ક્ષમાપના છે. ધર્મનો મૂળ હેતુ સમ્યગદર્શન છે, ત્યાં જ મોહ ઊભો રહે તો પાછું મિથ્યાત્વ હાજર થઈ જાય. દર્શનમોહ દબાય, ચારિત્ર-મોહ દબાય, ત્યારે અનંતાનુબંધી કષાયોનો વેગ હાસ્યાદિ નોકષાયને સહાય કરે છે તેવી વૃત્તિ સુધરે, વ્યવહાર સુધરે. જ્ઞાન અને દર્શનથી ધર્મ પમાય છે, તે પછી ચારિત્ર ઉદયમાં આવે છે. કષાયનું શમન તે ચારિત્ર્ય છે, કષાયજય થયેલી સાધુની મુદ્રા અન્યને મૂક ઉપદેશ આપે છે. ભગવાન મહાવીરની મુદ્રાનાં દર્શન કરી ગૌતમ ઈન્દ્રભૂતિનો શાસ્ત્રવાદ કરવાનો મદ શાંત થઈ ગયો અને નજીક જતાં વચન સાંભળતાં જ અજ્ઞાન ખસી ગયું અને સર્વાશ સમર્પણ થયું. શાસ્ત્રજ્ઞા ઈદ્રભૂતિ પ્રભુના શિષ્ય બન્યા. આત્મરૂપ સમભાવની સળંગ ધારા વહે ત્યાં પ્રાયશ્ચિત્ત કરવા જેવાં કાર્યો સહજ હોય છે. કષાય અને નોકષાયનો સંબંધ મિથ્યાત્વ વડે પ્રાયઃ ગાઢ થાય છે. તેનો સરવાળો દર્શન-ચારિત્ર મોહનીય છે. આત્મ ઉપયોગ જેવો રસપ્રધાન થાય તેવું બંધન થાય. પૂર્વના કોઈ આરાધનના ઉદયે વિરાગભાવ પ્રગટે તો નવાં જૂનાં કર્મો નિર્જરા પામે. અને મોહનીયનું સ્વરૂપ અવલોકન ૨૩૯ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy