SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ દર્શનની ક્ષતિથી ચારિત્રમાં કષાય વેદાય છે. અને માન સત્કારની વાસના જાગે છે. પોતે ચારિત્રમાં શિથિલ થઈ અન્યને પરવસ્તુમાં ધર્મનો ઉપદેશ આપે છે. પ્રભુ ઉપદેશ આપતા ત્યારે અતિશયને કારણે તેમનું અંગ સ્થિર રહેતું. હલન-ચલન ન થાય. તેમને હાવભાવ કરવા ન પડે. તેમની મુદ્રામાં સહજ જ્ઞાન, કરુણા પ્રગટ થાય. દિવ્યધ્વનિમાં એવી દિવ્યતા હોય કે સાંભળનારને બોધ પ્રાપ્ત થાય. હાલ તો ઉપદેશમાં અન્યને ઉત્તેજના લાવવા માટે હાવભાવ ઉત્પન્ન કરવા પડે છે. હાસ્યરસ જેવો વાર્તાલાપ થાય છે. આમ કષાયજન્ય ઉપદેશથી આવરણ આવે છે. જૈનધર્મનો માર્ગ શુદ્ધ હોવાથી આવી સૂક્ષ્મતા વિચારવી પડે છે. પૂર્ણ વિકાસની માનવદેહમાં સંભાવના દર્શાવી છે. ચારિત્ર-સંયમની શિથિલતા એકાંતમાં આત્માનો શું અનુભવ કરે ? સંસારીને સંસારભાવમાં કષાયના પૂર્વ સંબંધો એવા ઉદયમાં વર્તે છે કે તેમાં તદાકાર થઈ જાય છે. શાસ્ત્રજ્ઞાનને જ્ઞાન કે ચારિત્ર કેમ મનાય? અંતર ઉલ્લાસ વગર ચારિત્રમાં તદાકારવૃત્તિ થતી નથી. ધર્મભાવનો સતત અભાવ નથી. કષાય અંગ છૂટયો હોય તો ધર્મરુચિ પ્રગટ થાય. મુક્તિને પ્રાપ્ત એવી આત્મ શક્તિ પ્રગટ થવી દુર્લભ છે. બારે કષાયનો જય કરે તો પણ શેષ અલ્પ અંશ કષાય શુદ્ધ ચારિત્રને પ્રગટ થવા દેતું નથી. અતિ શુદ્ધ એવા આ મોક્ષમાર્ગમાં અલ્પ કષાયનો પણ નાશ કરવો પડે છે. ગૃહસ્થને કષાયના ઉપશમની શક્તિ પ્રાપ્ત ન થાય તો દર્શનને લાયક થઈ શકતો નથી. કષાયના ઉપશમને બદલે સૌને ક્રિયામાં રસ વર્તે છે. શ્રાવક કે સાધુ સંવર ક્રિયામાં જાય તો કર્મનો બોજો ઓછો થાય. આઠમે ગુણસ્થાનકે ટકે ત્યારે કેટલીક કર્મ પ્રકૃતિનો સત્તાગત્ સંબંધ નાશ પામે. ત્યાં સુધી ઉદય સંબંધને છોડવાની ક્રિયા છે. પુરુષાર્થના બળ પ્રમાણે શ્રેણિએ ચઢી જાય. ઉપશમ દ્વારા કષાયનો જય કરે ક્ષાયિકભાવમાં કષાયનો પૂર્ણ નાશ કરવાની શક્તિ આવે તે ભાવ સાધવા શ્રાવકને પૌષધ જેવાં વ્રત આપ્યાં. સાધુને તો તેનો અધિકાર આપ્યો. તેમાં ઈદ્રિયોના વિષયોનું દમન થાય, કષાયનું શમન થાય અને ઈદ્રિયો શાંત થઈ આત્માને બળ આપે. આત્મા પુગલભાવથી મુક્ત છે તેનું આવરણ છે તે ખસે. કર્મગ્રંથ જેવા શાસ્ત્રના ૨૩૮ સ્વરૂપ અવલોકન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy