SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ભોગવવાનો આધાર વર્તમાન પરિણતિ પર છે. વર્ણાદિ શુભ મેળવવાની વૃત્તિ અસદ્ છે. દેવગતિમાં જઈને પણ વાસનાની ઉત્તેજના એવી હોય છે કે પોતાના સ્થાનમાં ટકી શકતા નથી. પાંચે ઈદ્રિયોના આ ત્રેવીસ વિષયો, તેની સાથે ભળતી બીજી પ્રકૃતિઓ જોડતાં અસંખ્ય થાય. તે દરેકનો સંયમ તે બ્રહ્મચર્ય છે. પૂર્ણ રીતે જીતે તેની પૂર્ણ સિદ્ધિ ગણાય. જેમકે સતીધર્મ અનેક સ્ત્રીઓએ પાળ્યો છતાં સોળ સતીની ગણના કરી. કારણકે તે સિવાય સતીધર્મના અમુક વિષયને જીતીને પાળ્યો હોય. અને ચંદનબાળાદિ સતીઓએ આત્મધર્મને જ પૂર્ણાંશે પાળ્યો. તેથી સોળજ સતીઓની ગણના થઈ. શુભ કે અશુભ કોઈપણ પ્રકૃતિ ભોગવવા કે ઉપાર્જન કરવા લાયક નથી. સમકિતી હોય તે તો વૃત્તિનું નિરીક્ષણ કરે અને બંધનને છોડવા જ પ્રયાસ કરે અશુભ છોડે, શુભ ગ્રહે અને સક્રિયા દ્વારા શુભને પણ છોડે. રાગાદિનો નાશ કરે. શરીર મળ્યું તે સ્વરૂપ પામવા માટે. જ્ઞાન મળ્યું તો આત્માને ઓળખવા માટે, પ્રતિકૂળતા મળી તો જાગૃત થવા માટે. આમ આત્માર્થે જ લક્ષ હોય. બંધન તોડવા સાહસ જોઈએ, ભય નહિ. દુઃખરૂપ છે માટે છોડે તેમ નહિ. શરીર ક્ષણે ક્ષણે ગળે છે તેમ આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટે છે. આયુષ્ય, કાળ લઈને જશે. જીવનનો વર્તમાન આધાર આયુષ્ય પર છે. દેહ છોડતાં દુઃખરૂપ દશા થાય તે પહેલાં આપણે આત્મ સન્મુખ થવું. જેથી મૃત્યુ ટાળી શકાય. જીવન-મૃત્યુનું પુનરાવર્તન નભે છે અને ટકે છે આ પ્રકૃતિઓ ઉપર. તે પ્રકૃતિને વર્તમાનમાં પુરુષાર્થથી ફેરવી શકાય. પ્રતિકૂળતામાં વિવેકી મનુષ્ય સૌમ્ય રહે છે. પરવસ્તુની આકાંક્ષા ઓછી તે સુખી. ધર્મી ધનાદિથી સુખ મળે તેવી કલ્પના કરે નહી, મુક્તિ તરફના પ્રયાણને સુખ ગણે છે. તેને માટે સાધુ દશા જ યોગ્ય છે. સાધુતા વગર એ માર્ગે પ્રયાણ થતું નથી. પુણ્ય કે પાપ એ માન્યતાના ભેદ છે. પરમપદના માર્ગમાં બંને અંતરાયરૂપ છે. જીવ જ્ઞાનપૂર્વક વર્તે તો ઉદય અને ઉદીરણાના ક્રમમાં સુધારો થઈ શકે. પ્રકૃતિના ઉદયથી મૂંઝાવાનું નથી. તે સમયે વિવેકપૂર્વક ઉપયોગથી કાર્ય સાધ્ય કરવું. પૂર્વકર્મના ઉદયમાં સુધારો કરવાનો પુરુષાર્થ ન કરે તો તે કર્માધીન થઈ જાય. રોગ આવે પીડા સહન ન થાય તો ૧૯૮ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy