SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ અને ઉપયોગ આત્મભાવમાં ઠરે તેમ બને નહિ. ઈદ્રિયોને રસ મળ્યો કે વિષય શોધી લેશે. અને તેમાં બીજા રસો ભળે, આત્મા જ મૂંઝાઈ જાય. જેમ કે જિહ્વા સ્વાદિષ્ટ ભોજન ઈચ્છે, કે નાક સુગંધ લેવામાં પડે. કાન તેને ગમતા અવાજમાં સુખ માને. આંખને પણ સુંદર પદાર્થનું આકર્ષણ થાય. પદાર્થ પોચો કે કડક હોવો જોઈએ તેમાં સ્પર્શ પોતાનું સુખ શોધી લે. એક જ ઈદ્રિયના રસમાં આમ પાંચે ઈદ્રિયો લોભાય. મન તેમાં મસ્ત બને, અને આત્મા તેમાં અટવાઈ જાય. માટે કહ્યું કે “એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર” મનુષ્યનો દેહ મળ્યા પછી શું ક્રવાનું છે? શરીર ધારણ કરીને જીવ તેને સારું રાખવામાં, રક્ષણ કરવામાં રાચી રહ્યો છે. મોટી પદવી મળે, માન મળે ત્યારે વિભાવદશાએ જીવ રાજી થાય છે. અસાર પુદ્ગલો ગ્રહણ કરીને આ શરીર બન્યું છે. પૂર્વના પુણ્ય પ્રમાણે માન કીર્તિ મળવાનાં છે. હવે આ શરીર ધારણ કરી શું કરવા જેવું છે તે વિચારવાનું છે. તીર્થકર કોટિના જીવોએ અગાઉના ભવમાં સદ્ગુરુ દેવ ધર્મની નિસ્પૃહભાવે ભક્તિ અને આત્મ સાધન કરી આત્મદશાને એવી વિશુદ્ધ બનાવી હતી કે તેમના શરીરના પુદ્ગલોમાં ગર્ભથી જ પરિવર્તન થઈ જતું. તે જીવો શુભ જ પુગલો મેળવે, સપ્રમાણ અંગોપાંગ, શરીર સ્વાથ્ય, ઉત્તમ સંઘયણ વગેરે સહેજે પ્રાપ્ત થાય. છતાં તે આત્માઓ દેહને ભિન્ન જાણે છે. અને તે પ્રત્યે મોહ રાખતા નથી, તે તેમનું સત્પુણ્ય છે. આપણે પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી રાજી થવાનું નથી. કેટલાક તિર્યંચોનાં, ફળ ફૂલના શરીર આકર્ષક અને સુંદર હોય છે. ઘોડા હાથી જેવાં પ્રાણીઓ માન પામે છે. તેમનું પૂજન થાય છે. આથી મનુષ્યદેહ ધારણ કરી સુંદરતા, માન, કીર્તિ વગેરે મળવા તેમાં મહત્તા નથી. - સુશ્રાવકે વિતરાગમાર્ગને યોગ્ય ઉચિત કરણી રાખવી જોઈએ. તે માર્ગ પ્રત્યે અરુચિ રાખી કે શુષ્ક થઈ જીવવાનું નથી. ગૃહસ્થજીવનને એવી રીતે નિભાવવું કે શ્રાવકપણું પ્રગટતું રહે. દરેક ક્રિયામાં, પ્રસંગમાં કે વ્યવહારિક પ્રસંગોમાં અહિંસાભાવ રહે, ઉપયોગની જાગૃતિ રહે. સમભાવે વર્તે અને ગુરુગમ પ્રમાણે વિશેષ તિથિ જેવા દિવસોનું ધ્યાન રાખી તે દિવસે વિશેષ આરાધના કરે. રોજ પ્રત્યેના વ્યવસાયમાંથી વધુ નિવૃત્તિ સ્વરૂપ અવલોકન Jain Education International ૧૮૯ www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy