SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કે ગતિનામ કર્મ. ૧. જે કર્મના ઉદયથી જીવ દેવાદિ ગતિને પ્રાપ્ત કરે તે ચાર ગતિ નામકર્મ. ૨. જે કર્મના ઉદયથી જીવએકેન્દ્રિયદિપાંચ જાતિ પ્રાપ્ત કરે તે જાતિ નામકર્મ. ૩. જે કર્મના ઉદયથી જીવ ઔદારિક આદિ પાંચ શરીર પ્રાપ્ત કરે તે શરીર નામકર્મ. ૪. જે કર્મના ઉદયથી જીવ શરીરના અંગ, શિર, હાથ-પગ પ્રાપ્ત કરે તે અંગ ઉપાંગ નામકર્મ. ૫. જે કર્મના ઉદયથી જીવને દારિક વગેરે શરીર સાથે ગૃહ્યાણ પુદ્ગલોનું મળવું તે પાંચ પ્રકારે બંધન નામકર્મ. ૬. જે કર્મના ઉદયથી જીવને શરીર યોગ્ય પુગલો સાથે વ્યવસ્થિત રૂપ વગેરે મળવું તે પાંચ પ્રકારે સંઘાતન નામકર્મ. ૭. જે કર્મના ઉદયથી જીવને શરીરમાં હાડકાં વગેરે સંધિ દઢ થાય તે છ પ્રકારે સંહનન નામકર્મ. ૮. જે કર્મના ઉદયથી જીવને શુભાશુભ આકૃતિ મળે તે છે સંસ્થાન નામકર્મ. ૯. જે કર્મના ઉદયથી જીવને શરીરના શ્યામ શ્વેત વગેરે વર્ણ મળે તે - પાંચ વર્ણ નામકર્મ. ૧૦. જે કર્મના ઉદયથી જીવને સારી કે ખરાબ ગંધ મળે તે બે ગંધ, ગંધનામકર્મ. ૧૧. જે કર્મના ઉદયથી જીવને ખાટા-મીઠા રસો ઉત્પન્ન થાય તે પાંચ રસ નામકર્મ. જેમકે આંબલી, શેરડી વિગેરે. ૧૨. જે કર્મના ઉદયથી જીવને શરીરમાં કોમળ રૂક્ષ સ્પર્શ ઉત્પન્ન થાય તે આ સ્પર્શ નામકર્મ. ૧૩. જે કર્મના ઉદયથી જીવ વિગ્રહગતિમાં પોતાના ઉત્પન્ન થવાના સ્થાન પર પહોંચે તે ચાર આનુપૂર્વી નામકર્મ. દેહ છૂટયા પછી જીવ આકાશ શ્રેણિએ જાય છે તે આનુપૂર્વી નામ કર્મ તેને જે ગતિમાં ઉત્પન્ન થવાનું છે ત્યાં લઈ જાય છે. ૧૪. વિહાયોગતિઃ શરીરની ચાલ શુભ અશુભ હોય તે બે વિહાયોગતિ નામકર્મ. પ્રત્યેક પ્રકૃતિ જેમાં એકનો સમાવેશ થાય. જેમકે કેરી જેવા ફળ તેના આઠ ભેદ છે. ૧. પરાઘાત : જે પ્રકૃતિથી સામા બળવાનને પણ હરાવી શકે. સ્વરૂપ અવલોકન ૧૮૧ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy