SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ લોભવૃત્તિ દસમા ગુણસ્થાને આખર સુધી રહે છે, અંતે જાય છે. હાસ્ય, રતિ, અરતિ, શોક, દુગંછા, ભય, સ્ત્રી, પુરુષ, નપુંસક વેદ નવ નોષાય છે. હાસ્ય, રતિ, સ્ત્રી, પુરુષવેદમાં શુભનો અનુભવ થાય છે તે પુણ્યના કારણે છે. સાંસારિક સુખ ઉપજવું તે પણ પુણ્યબંધનું કારણ છે. અરતિ, શોક, દુગંછા, ભય, નપુંસકવેદ અશુભબંધનું કારણ છે. - કષાય જયારે જ્ઞાનમાં ઉપયોગમાં ભળે છે ત્યારે જીવ અજ્ઞાનદશામાં રહે છે. ત્રણે યોગ અજ્ઞાનપણે વર્તે છે. મિથ્યાત્વનો ઉદય રહે. કષાયના રસ બળવાન હોય છે જે કષાયરૂપે નાંખે તે પ્રમાણે પરિણમે. આથી સંયમ, નિયમની રીત બતાવી. રોજે વ્રત લેવાનો હેતુ અભ્યાસ દઢ થાય, અનુપયોગ ન રહે. અને ઉપયોગ શુદ્ધ થતાં થતાં આ ક્ષેત્રેથી પણ મહાવિદેહ જેવા ક્ષેત્રે જવાની પાત્રતા કેળવાય, આ કાળ અનુકૂળ જ છે. ભાવ ક્ષાયોપથમિક છે. અનુકૂળ ક્ષેત્રે જઈ ક્ષાયિકભાવમાં જવાની શકયતા રહે. કષાયનું ખરું ક્ષેત્ર ઈદ્રિયોના વિષયો છે. જીવન સંગ્રામ તેમાંથી ઊભો થાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ઉપયોગથી શુદ્ધિ રહે તો મન કષાયમાં ન જોડાય. ખાવું, પીવું, ફરવું, જોવું વગેરે ઉપયોગ દ્વારા જ થાય. છતાં મન કષાય પ્રેરિત ન હોય તો તે સર્વ ક્રિયાનો સંબંધ નિર્દોષ રહે છે. રાત્રે દિનચર્યાથી નિવૃત્ત થઈ ચિંતન કરવું. રાત સૂવા માટે જ નથી. મોક્ષનો માર્ગ વિકટ છે. વ્યવહારના ખાસ પ્રસંગમાં રાત દિવસ જીવ મંડયો રહે છે. જયારે આ તો લાંબો માર્ગ કાપવાનો છે. દિવસે વ્યવસાય અને રાત્રે ઊંઘ તો ધર્મ કયારે થાય? ધર્મની એકાંતે વિચારણા માટે જ રાત છે. દિવસે કર્મ ઘેરી લે અને રાત્રે ઊંઘ કે વિષયો ઘેરી લે તો ધર્મ કયારે થાય? રાત્રે વિચારેલો, ભાવેલો ધર્મ દિવસની ક્રિયામાં કામ લાગે. ઉપયોગ સિવાય આત્માને બીજું કરવાનું શું છે? પરંતુ એવો સમભાવપૂર્વકનો ઉપયોગ ન રહેવાથી મોહનીય કર્મની સત્તા ચાલે છે. જડ માટે થઈને ચૈતન્ય કષાયમાં પડે છે. ગૃહસ્થ અનીતિનું ધન ભેગું કરે અને સમજે કે થોડું ધન પુણ્યકાર્યમાં વાપરીશ એટલે પુણ્ય થશે, પરંતુ એ ધનમાં આત્મલક્ષ નથી હોતું કીર્તિમાન વગેરેનું લક્ષ હોય છે. આથી તેવી ક્રિયા કષાયજન્ય બને છે. પુદ્ગલનું સુખ, ભૌતિક સુખ ક્લાયમાં છે. ધનનું સુખ માન છે, સત્તાનું સુખ ક્રોધ છે. માયાનું સુખ કુઆવડત છે. લોભનું સુખ સંગ્રહ છે. આમ સર્વત્ર ષાય છે. છતાં જીવ ૧૫૪ Jain Education International સ્વરૂપ અવલોકન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy