SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ છતાં કૃપણ રહી મોહનીય કર્મને જોડી દે છે. અને જગતના ભૌતિક સુખો માટે અમૂલ્ય માનવ દેહ વેડફી નાંખે છે. પૂર્વ પુણ્યને પુરું કરી ખાલી હાથે ચાલ્યો જાય છે. દાનાદિ જેવાં સુકૃત્યો પણ શ્રાવક કરી ન શકે તો પછી સમ્યક્ત્વ જેવો ગુણ તો કયાંથી પ્રગટે ? દાનાદિ તે શ્રાવક ધર્મ છે તેનાથી અંતરાયકર્મ શિથિલ થાય, પણ તે જ ધર્મ છે, તે વડે તરાય તેમ નથી, એવા સત્કાર્યથી ભૂમિકા બંધાય અને આખરે તો દર્શન મોહ ટળે આત્મને બોધ પ્રાપ્ત થાય. કેવળ શરીરને કષ્ટ આપે, વચન અને મનનો પૂર્ણ સંયમ સાધ્ય થતો નથી. ત્રણે યોગ એકાકારે પ્રભુ આજ્ઞામાં વર્તે ત્યારે સમ્યગ્દર્શન પ્રાપ્ત થાય. દર્શનમોહ અને ચારિત્રમોહનીયની પ્રકૃતિ શિથિલ થયે તેની સંભાવના છે. તે પછી સતત્ પુરુષાર્થ અને વિતરાગમાર્ગનું આરાધન ક્ષાયિકભાવ સુધી લઈ જાય. પુણ્યયોગે બધી સામગ્રી મળી અને જીવ પ્રમાદ સેવે તો પાછો પડે. વીતરાગ ધર્મની રુચિવાળા જીવને સંસારના સંતાપનું પ્રયોજન ન હોય. શ્રાવક સામાયિક જેવા ભાવને શુદ્ધિપૂર્વક પાળે તો ધર્મ પામે. અશુદ્ધ વ્યવહાર સહજપણે છૂટી જાય. જીવના કષાયભાવ એવાને એવા હોય અને પોતાને શ્રાવક માને તો તે જ્ઞાની સ્વીકારતા નથી. દરેક ધર્મક્રિયામાંથી પોતાની ઉન્નતિનો અનુભવ થવો જોઈએ. દરેક ક્રિયા સાથે પાપ સંબંધ રહેવાનો પણ પરિણતિની નિર્મળતા, જાગૃતિ તે બંધને મંદ કરે. શ્રાવકને ગૃહસ્થધર્મનો, નિભાવ કરવાનો છે. આહારાદિમાં હિંસાની પ્રવૃત્તિ રહેવાની, એવી ક્રિયાઓ અનિવાર્ય છે. પરંતુ ત્યાં શક્ય તેટલો સૌમ્ય ઉપયોગ જરૂરી છે. આહારાદિ ક્રિયામાં વાસના કે લોલુપતા તે વિભાવ ઉપયોગ છે. શકય તેટલી હિંસા નિવારવા રસત્યાગ, વનસ્પતિ ત્યાગ આદિ નિયમોની પ્રરૂપણા થઈ, તેવા વ્રત પાલનથી અહિંસા જેવાં વ્રતોનું સેવન થાય અને ઉપયોગની નિર્મળતા રહે. ક્રમે કરીને ઘાતક રસો મંદ થતાં થતાં દૂર થાય અને જ્ઞાનાવરણ જેવી પ્રકૃતિઓ અત્યંત મંદ પડે. મતિ-શ્રુત-જ્ઞાનની ક્રમિક નિર્મળતા પણ જ્ઞાનાવરણાદિ પ્રકૃતિઓને શિથિલ કરે છે. ઉત્તમ શ્રાવકને સાધુની ઉપમા આપવામાં આવી છે. સત્સંગ, સ્વાધ્યાય વડે શ્રાવક ઘણું કાર્ય કરી શકે છે. ક્રોધાદિ કષાયમાં રસ રેડી પરિણામોને પુષ્ટ કર્યાં હોય તે ત્રણે યોગ ૧૫૦ Jain Education International For Private & Personal Use Only સ્વરૂપ અવલોકન www.jainelibrary.org
SR No.004901
Book TitleSwarup Avalokan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2011
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy