________________
૮૧
ચાર કારણ ભૂલે છે. જ્યારે પાપકર્મબંધ વેળા અજ્ઞાની તેના ફળ સ્વરૂપે આવી પડનાર દુઃખનો વિચાર કરતો જ નથી.
અપેક્ષાકારણ મોક્ષ પ્રાપ્તિ માટે જ્યાં સુધી ન મળેલ હોય ત્યાં સુધી પ્રધાન સમજવા. અપેક્ષાકારણ મળ્યા પછી દેવ-ગુરુધર્મ નિમિત્તકારણ બળવાન લેખવા કે જેની પ્રાપ્તિથી જીવના પોતાના અસાધારણકારણ (ગુણ) અને ઉપાદાનકારણ (ગુણી) ઘાતકર્મના ક્ષય અર્થાત મોક્ષપ્રાપ્તિ માટે મહત્વના બની
નિમિત્તકારણને પ્રાપ્ત કરીને તેને સફળ કરવા માટે અસાધારણ અને ઉપાદાન કારણને આત્મપુરુષાર્થ કરીને તેજવંતું બનાવવું જોઈએ. તો જ પરિણામે સ્વસ્વરૂપને પમાય અને આત્માને નિરાવરણ બનાવાય. • નિમિત્તકારણ એ “પર” છે જ્યારે ઉપાદાનકારણ “સ્વ” છે. એટલે કે નિમિત્ત અને ઉપાદાનકારણમાં ભેદ છે. જ્યારે ઉપાદાન અને અસાધારણ કારણ ઉભય “સ્વ” છે અને તેથી ભેદરૂપ નથી. તેમ જ વિધેયાત્મક (Positive) છે. તેથી વિપરીત અપેક્ષા અને નિમિત્તકારણ ઉભય પર હોવાથી નિષેધાત્મક (Negative) છે. મૂળ આધાર કારણ એટલે ઉપાદાનકારણ અને તેની વચલી વિકાસ અવસ્થાઓ તે અસાધારણકારણ.
અપેક્ષા-નિમિત્ત-અસાધારણ અને ઉપાદાન કારણથી જે કાર્ય થાય તે વડે આકારો આત્માના ઉપયોગને અર્થાત ઉપાદાનને આપવાના છે અને નહિ કે પુગલને જેમ દંડ, ચક્ર, પાણી અને હસ્તદ્વય એ ચાર વડે જે આકાર આપવાના છે તે માટીને અને નહિ કે હસ્તદ્વયના માલિક કુંભારને.
સ્વક્ષેત્ર, સ્વગુણ પર્યાયરૂપ જે હોય તે નિશ્ચય કહેવાય તેથી અસાધારણ અને ઉપાદાન કારણ સ્વક્ષેત્રે હોવાથી તે નિશ્ચયરૂપ છે. અપેક્ષાકારણ અને નિમિત્તકારણ પરદ્રવ્ય છે અને પરક્ષેત્રે છે તેથી તે વ્યવહારરૂપ છે.
અપેક્ષાકારણ મળ્યા બાદ નિમિત્ત કારણને મેળવવા અને તેનાથી અસાધારણ અને ઉપાદાન કારણને કેળવવાના હોય છે. તેમ કરશું તો જ પાર ઉતરશું. અન્યથા મળેલાં અપેક્ષા અને નિમિત્તકારણ પણ ચાલ્યા જશે અને સ્થિતિ ઘાંચીની ઘાણીના બળદ જેવી થશે.
જેટલી નિમિત્ત ઉપર આપણી દષ્ટિ છે તેટલી આપણા ઉપાદાન ઉપર આપણી દૃષ્ટિ નથી. નિમિત્ત ઉપરની દૃષ્ટિ નિમિત્ત ન મળે ત્યાં સુધી રાખવાની હોય છે જ્યારે ઉપાદાન ઉપરની દૃષ્ટિ તો કેવલજ્ઞાન ન થાય ત્યાં સુધી રાખવાની હોય છે.
S-6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org