SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ વૈકાલિક આત્મવિજ્ઞાન સંસારી જીવના જ્ઞાન અને ભોગ (વેદન) તેણે કાળરૂપ અર્થાત્ ભેદરૂપ બની જાય છે. દિશા એટલે દેશાકાશ ! દેશાકાશ; ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને પુદગલાસ્તિકાયને હોય છે. આત્મા એના શુદ્ધ પરમાત્મ સ્વરૂપમાં દેશાતીત છે. જે પદાર્થ દેશના બંધનમાં હોય તે કાળના બંધનમાં પણ હોય છે. પરમાત્મા અને કેવલજ્ઞાનમાં એક જ સમયે સર્વક્ષેત્રના સર્વદ્રવ્યોસર્વપદાર્થો તેના સર્વ ગુણપર્યાય સહિત જણાય છે. આમ આત્મા એની ચિદશક્તિજ્ઞાનશક્તિથી ક્ષેત્ર અર્થાત દેશ તથા કાળ અપરિચ્છિન્ન છે, અખંડ છે, અનંત છે, દેશ એ ક્ષેત્રભેદ છે જ્યારે કાળ એ પર્યાયભેદ છે. આત્મા સ્વરૂપથી દ્રવ્ય અને ભાવરૂપ છે. દેશ અને કાળ રૂપ નથી. ત્રણે કાળમાં ધર્મમાં ભાવનું પ્રધાનતત્ત્વ છે. જ્યારે ત્રણે કાળમાં સંસારમાં દ્રવ્યનું પ્રધાનત્વ છે. પરમાત્મા કેવળ ભાવસ્વરૂપ છે, પરમાત્મા દ્રવ્યાતીત, ક્ષેત્રાતીત અને કાળાતીત છે. દેશ અને કાળના ભેદનો ઉપયોગ ધર્મ માટે જરૂરી છે. પરંતુ દેશ અને કાળના ભેદોનું બંધન ધર્મ કે ધર્મીને નથી હોતું. આર્યક્ષેત્ર, આર્યજાતિ, આર્યકુળ, જૈનકુળ અને પર્યુષણકાળ હોય તો ધર્મ સારી રીતે થાય. પરંતુ ધર્મ અને ધર્માં અનાર્યક્ષેત્રમાં, પર્યુષણાદિ ધર્મકાળ સિવાયના કાળમાં પણ ટકવા ધારે તો ટકી શકે એમ છે. ધર્મ તો ભાવસ્વરૂપ છે. માટે પ્રતિકૂળ દેશ અને કાળમાં પણ ભાવ ધર્માવલંબને ભાવ સ્વરૂપની પ્રાપ્તિ કરી શકે છે. દેશ અને કાળના ભેદ તથા દેશ અને કાળનાં બંધન તો અર્થ અને કામને છે. ધર્મ અને મોક્ષને નહિ, પિસ્તાલીસ લાખ યોજનની સિદ્ધશીલા ઉપર પિસ્તાલીસ લાખ યોજન પહોળાં તીર્થાલોકનાં પ્રત્યેક ક્ષેત્રથી પ્રત્યેક કાળે આવેલ સિદ્ધ પરમાત્મા ભગવંતો બીરાજમાન છે. જે સર્વે ક્ષેત્રાતીત, કાળાતીત થયેલ છે. સાધુ ભગવંતને અતિથિઅભ્યાગતનું સંબોધન કરવામાં આવેલ છે. તે જ સૂચવે છે કે તેમને ક્ષેત્ર અને કાળનાં બંધન છે નહિ. દેશકાળ તેમને બાધક છે જ નહિ. ભાવનેધર્મને દેશકાળ બાધક નથી અને બંધનરૂપ પણ નથી. ક્ષેત્ર ક્યાં તો સીમિત છે કે અસીમ છે. કાળ એક સમયરૂપ (ક્ષણરૂપ) છે કે અનંતો છે. નિત્ય અને અનિત્યની વાતો કાળ આશ્રિત છે. બાકી સુખદુઃખ, હર્ષ-શોક, રતિ-અતિનું વેદન ભાવ આશ્રિત છે. સવાલ જીવના સુખનો છે, જીવના ભાવનો છે. જીવ ક્ષેત્રાતીત અને કાળાતીત થાય તો એનો ભાવ એના સ્વભાવને પામે અર્થાત્ અક્ષય અવ્યાબાધ, અનંત શાશ્વત સુખને પ્રાપ્ત કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy