________________
૧૩૮
વૈકાલિક આત્મવિજ્ઞાન દઢ ઇચ્છાક્તિની પૂર્ણ વિશ્વાસપૂર્વક સ્મરણ કરવામાં આવે તો તે તથા પ્રકારના ફળને આપનારા કલ્પતરુ એવો ચિંતામણિ મંત્ર છે. સ્વરૂપનામ અને સ્વરૂપપદના જાપમંત્રને મેળવવા પુણ્યશાળી એવાં આપણે તે સ્વરૂપનામ-જાપ સ્મરણથી સ્વરૂપપદને પામવા ભાગ્યશાળી થઈએ એવી અભ્યર્થના !
અનાદિકાળથી સંસારી જીવ માત્ર મોહ અને અજ્ઞાનવશ મિથ્યાત્વ અવિરતિ અને કષાયની વૃત્તિ, પ્રવૃત્તિ કરે છે અને તેને અંગે ચાર ગતિમાં રખડે છે. તેમાં નામકર્મના ઉદયને અંગે જે ગતિના અને ઇન્દ્રિયના ભેદે નામ ઘડે છે, તથા પુત્ર વ્યવહારના અંગે નામકરણ કરવામાં આવે છે તે તો દશ્ય જગતના વ્યવહાર છે અને તે ફરતાં જ રહે છે.
પંચપરમેષ્ઠિના યથાનામ તથાગુણ અનાદિ અનંત છે તે વિપરીત ભાવને પામતા નથી તેમ આપણા સંસાર ભાવે-મોહ ભાવ અને ચેષ્ટાએ અંદરની દશાએ પંચપરમેષ્ઠિનાં નામોથી વિરુદ્ધ નામો સર્વ જીવને સરખાં લાગુ પડે છે. એ જ જીવ માત્રના પાંચ નામ “અરિદત', અસિદ્ધ, આચારભ્રષ્ટ, અભણ, અજ્ઞાની, અબુઝ ગમાર. અને “શઠ છે. આ જીવના સંસારભાવે કલંકિત નામો છે તેની જ સામે પંચપરમેષ્ઠિના નામો આપણને આપણી સાચી દશાનું ભાન કરાવનારા છે અને સાચી દિશામાં લાવનારા છે.
માટે વાચકો વિચારે કે આ પંચપરમેષ્ઠિ સ્વરૂપ મંત્રના નામો કયા સંપ્રદાયના? કોના ધર્મના ? કયા વર્ણના ? કઈ જાતિના ? કયા દેશના ? સ્વરૂપમંત્રને કહેનારા પાંચ શબ્દોના સ્મરણ અને રટણ વિના ત્રણે કાળમાં કયા ધર્મનો ? કયા સંપ્રદાયનો? કયા વર્ણનો ? કઈ જાતિનો ? કયા દેશનો? કોના સંસારનો ઉદ્ધાર થઈ શકે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org