SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ મંત્ર ૧૩૩ વાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ કેમ ન કહેવાયું ? એનું કારણ એ છે કે. તીર્થંકરને બાદ કરતાં સર્વાધિક પુણ્યના સ્વામિ ઇન્દ્ર જેવા ઇન્દ્ર જો અરિહંત ભગવંતની પૂજા અભિષેક વૃષભનું રૂપ લઈને ય કરતાં હોય તો પછી બીજાં એનાથી ઊતરતાં પુણ્યશાળીઓ તેમ કરે એમાં નવાઈ શી ? આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય અને ભાવ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય, અનાદિકાળથી જીવ માત્ર પોતાના સ્વયંભૂપણાથી સ્વ અસ્તિત્વથી સ્વ સત્તાથી વ્યક્તિ રૂપે પોતે પોતાને પ્રાપ્ત છે. પરંતુ સ્વ શુદ્ધ ગુણયપર્યાયથી અપ્રાપ્ત છે. એટલે જૈન દર્શનમાં પહેલા જીવના શુદ્ધ ગુણપર્યાયનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે. આવાં શુદ્ધ ગુણપર્યાયને જે પ્રાપ્ત કરે તે વ્યક્તિ પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યક્તિ છે એટલે હવે એવી વ્યક્તિના સંશોધનનો પ્રશ્ન ઉપસ્થિત થયો. એ પ્રશ્નનો જવાબ લોગસ્સ-ચતુર્વિશંતિસ્વ-નામસ્તવ સૂત્ર છે જેમાં વર્તમાન ચોવિસિના ચોવિસેય તીર્થંકર દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણે ય નો સમાવેશ થાય છે. માટે કાઉસગ્ગમાં લોગસ્સનો કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે જ્યારે નમસ્કાર મહામંત્ર એ મુખ્યત્વે જપ સાધના છે. પ્રાયઃ પ્રત્યેક મંત્રનો યંત્ર હોય છે તે પ્રમાણે નમસ્કાર મહામંત્રનો યંત્ર છે જે સિદ્ધચક્રયંત્ર યા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે, જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે. એ યંત્ર કમલાકારે હોય છે. કમલના મધ્યભાગ કેન્દ્રમાં અરિહંત ભગવંત બિરાજમાન કરવામાં આવે છે અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠ પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની સ્થાપના અનુક્રમે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય દિશામાં કરવામાં આવે છે. આ યંત્રમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી સમાવિષ્ઠ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ દેવ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દેવ આચાર્ય ઉપાધ્યાય, સાધુએ ગુરુ અને દર્શન, જ્ઞાન, ચારિત્રને તપ ધર્મ છે એમ દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધર્મી છે. જે પાંચ અરિહંત અને સિદ્ધ પરમાત્માને ‘વથ્થુ સહાઓ ધમ્મો’એ અર્થમાં ધર્માં કહેલ છે જ્યારે બાકીના ચાર દર્શન, જ્ઞાન, ચરિત્રને તપ એ ગુણ છે અથવા ધર્મ છે. એટલું જ નહિ પણ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સાધ્ય સ્વરૂપ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ સાધક સ્વરૂપ છે. તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004900
Book TitleTraikalik Atmavigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1994
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy