SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. મૈત્રી ભાવના : સર્વ જીવો પ્રત્યે નિવૈર બુદ્ધિ, પૂર્ણ વાત્સલ્યભાવ, સર્વજીવની હિતચિંતા, ભેદ રહિત સમભાવ, આમ મૈત્રીભાવનું ફલક અમર્યાદ છે. માતા બાળકની હિતચિંતા કરે તે તો સીમિત છે. જયારે આ ભાવનાનો ભાવિક વિશ્વ સાથે પવિત્ર માતાતુલ્ય હિતચિંતા કરે છે. એટલે એવા અધિકારનું સામાન્ય માનવનું ગજુ જ નથી. ત્યાગી, મહામુનિઓ એના અધિકારી છે જે દસ ક્ષમાધર્મના ધારક છે. જેને શત્રુ મિત્રના ભાવ નથી. સમદર્શી છે. યપિ સૌ જીવોમાં પરમાત્મદર્શન એ તાત્વિક મૈત્રી છે. પાંચ સાત મિત્રો સાથે સમાનભાવ ધારણ ન કરી શકે તેવા જીવનું આ મહાશક્તિ યુક્ત મૈત્રીભાવનાનું શું ગજું ! જે મહામાનવે મૈત્રી ભાવનું રસાયણ પચાવ્યું છે તે ભાવના કરે છે કે જગતના એકેન્દ્રિયથી માંડીને સૌ જીવો માનવદેહ ધારીને જન્મમરણથી કયારે મુક્ત થશે ? સૌ આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થાઓ. મૈત્રીભાવ એ આધ્યાત્મિક તત્ત્વ છે. એથી આ ભાવનાનું જેણે રસપાન કર્યું છે તેવા મહામાનવ જ સમગ્રસૃષ્ટિ પ્રત્યે આવી નિર્મળ દૃષ્ટિ કરી શકે. ન સામાન્ય સાધક કથંચિત આટલી ઉંચાઈએ ચઢી ન શકે પણ એનું ચિંતન અને ભાવના કરી, ઉપશાંત થઈ શકે સૌ જીવોનું હિત ઈચ્છે, અને પ્રસંગ આવે તેવું આચરણ કરી શકે. કર્મની ગતિ વિચિત્ર અને વૈષમ્ય છે. તમને કયારેક પ્રતિકૂળતાઓ કરનારા મળે. વૈર રાખનારા મળે, વિરોધી મળે, અપમાન કરનારા મળે. સ્વજનો સાથે સંઘર્ષ થાય ત્યારે તમારે ચિંતવવું, અહો ! જ્ઞાનીજનોએ તો બોધ આપ્યો છે, કે આ તો કર્મના ખેલ છે તેને તું આધીન થતો નહિ તારે કોઈ શત્રુ નથી કે મિત્ર નથી. તું તો મૈત્રીભાવને ધારણ કરનારો શુદ્ધાત્મા છું. પરમ સુખથી ભરપૂર છું. ર. પ્રમોદભાવના (ગુણ પક્ષપાત પરસુખતુષ્ટિમુદિતા) જે તારા નથી તેવા અન્યના ગુણમાં સુખમાં આનંદ કે સંતોષ માણવો. યદ્યપિ ગુણોની અને ગુણપ્રમોદની પરાકાષ્ઠા તીર્થંકરની કોટિના જીવોમાં હોય છે. જેને કારણે સહજપણે જ્ઞાન અને વૈરાગ્ય દ્વારા પૂર્ણ આત્મશુદ્ધિ કરીને મુક્તિ પ્રાપ્ત કરે છે. સામાન્ય સાધક ગુણપ્રમોદની ભાવના વડે શુદ્ધ થઈ પરંપરાએ મુક્તિ પામી શકે. તમારે વાચાનો ઉપયોગ કરવો છે તો પરમાત્મા, ગુરુજનો, જ્ઞાનીઓ કે ગુણવાનોના ગુણગાન કરતા રહો. જેથી વાચાનો દુરુપયોગ નહિ થાય. વળી વ્યવહાર પ્રયોજનમાં તમે અસત્ય, માયા જેવા પ્રકારથી બચી જશો. તે માટે તમે તમારી જાતને કેળવી લો અને જાગૃત રહો કે મારે મૈત્રી આદિ ચાર ભાવના www.jainelibrary.org ચિંતનયાત્રા Jain Education International ૮૪ For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy