SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વભાવરૂપ બોધિ જે પરમ સુખદાયક છે, તે માટે જ્ઞાનીઓ કહે છે કે જીવો ! પ્રમાદ છોડો, વિષયાસક્તિ છોડો અને આ બોધિને પામો. આ બોધિરત્ન મહારસ પણ છે. જેમાંથી આત્મસ્વભાવ પ્રગટ થાય છે. સોનાના થાળમાં ધૂળ ભરવી, અમૃતજળથી પગ ધોવા, ઐરાવત જેવા હાથી ઉપર સૂકા લાકડાનો ભાર ભરવો, અને ચિંતામણિ રત્નથી કાગડાને ઉડાવવો, ચતુર માનવ સંસારમાં આવી મૂર્ખતા ન જ કરે, તો ભાઈ વિચાર કે આ ધર્મમાર્ગમાં, પરમાર્થમાર્ગમાં પ્રમાદ કરી કેમ મૂર્ખાઈ કરે છે ? હે જીવ! ચિંતન કરજે કે આર્ય દેશાદિ, સામગ્રી મળ્યા પછી તેનાથી ભવનિતારક હેતુ ન સર્યો તો આ સંસારમાં મોટાઈ મળી કે સંપત્તિ મળી તેથી શું? મહાન પદવીઓ મળી તેથી શું? અને વિદ્યાધર કે દેવ થયો તો પણ શું? કદાચ શાસ્ત્રજ્ઞાન મળી ગયું તો પણ શું? જો આ ભવમાં આ મોક્ષદાયક બોધિરત્ન ન મેળવ્યું તો બધું જ વ્યર્થ છે. હવે ધાર કે તું બોધિરત્ન પામ્યો પણ પછી ત્યાં જ રોકાઈ જવાનું નથી. સમ્યત્વ પામીને જો સર્વવિરતિ જેવા ચારિત્રને પામતો નથી તો સંભવ છે કે તને મળેલું રત્ન ખોવાઈ જશે. કારણ કે આ તો શુભ પ્રારંભ છે. તારે પૂર્ણતા પામવા તો ચારિત્ર ગ્રહણ કરી શ્રેણિએ ચઢી ધર્મ ધ્યાન અને શુકલધ્યાન સુધી પહોંચવાનું છે જે કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે આવશ્યક છે, પછી જીવ તું મુક્ત છે. બોધિરત્ન પ્રાપ્તિની તે ફલશ્રુતિ છે. બોધિ દુર્લભ ભાવના : નિગોદથી સ્થાવર દુર્લભ, ને તેથી દુર્લભ ત્રસ ગતિ તેથીય દુર્લભ મનુષભવ, જે ઝંખતો પણ સુરપતિ તેમાંય ઉત્તમ દેશ વળી સુસંગ અને કુળ જૈનનું દુર્લભ સમ્યફ, સંયમ દુર્લભ, ગુણસ્થાનક પાંચમું આરાધીને ત્રણ રતનને, દીક્ષા ગ્રહે છે મુનિવરો દુર્લભ વ્રતને પાળતાં શુદ્ધ ભાવ શું પ્રગટે અહો ! જે બોધિ જ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જીવને કેવળ જ્ઞાન લહ્યા પછી, નહીં રખડતો ભવવન વિશે. ચિનયાત્રા Jain Education International બોધિ દુર્લભ ભાવના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy