SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ સુખ પામે તેવી તેની આત્મશક્તિ છે. પરંતુ આત્માથી જ અબોધ જીવઆત્મા આ સુખને કે તેના સ્થાનને જાણતો નથી એટલે મોહવશ જન્મ મરણની પરંપરાને પામે છે. જીવ તો નિત્ય છે તે મરતો નથી પણ અવસ્થાઓ બદલે છે. સિદ્ધપણુ તે જીવનો સ્વભાવ છે તેથી તે પ્રગટ થતા જીવ જન્મ મરણ રહિત શાશ્વત સુખ પામે છે. ચૌદ રાજલોકમાં વચમાં ત્રસનાડી છે જેમાં ત્રસ (હરતા ફરતાં) અને સ્થાવર જીવરાશિ રહેલી છે. તેથી આ ત્રસનાડી કહેવાય છે. લોકની રચના અત્યંત વિરાટ છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે મનાતી દુનિયાપૃથ્વી આ લોકની રચનામાં બિંદુ જેટલી છે. ચૌદ રાજલોક એટલે કરોડો કિલોમીટરનું ક્ષેત્ર. કોઈપણ પ્રકારના વાહન દ્વારા પહોંચો છો તે તો ગણત્રીનું ક્ષેત્ર છે. જયાં વાહનથી નથી પહોંચાતું ત્યાં સર્વજ્ઞનું જ્ઞાન પહોંચે છે. તે જ્ઞાનમાં જે જણાયું અને પ્રગટ થયું તે બુદ્ધિગમ્ય ન બને તો શ્રદ્ધાશાસ્ત્ર-ગમ્ય માનજો અને સ્વીકારજો. પુરૂષાકારે રહેલા ત્રણે લોકમાં નીચેથી જોશો તો સાતરજ્જુ પ્રમાણ સાતનારક છત્રાકારે આવેલી પૃથ્વી એકબીજાથી ઘણા અંતરે ઘનવાત તનવાત (જાડો-પાતળોવાયુ) ઘનોદધિ (જળરાશિ) તનોદધિ (જાડુ પાણી, પાતળુ પાણી) તેના આધારે આકાશ પછી નરકની પૃથ્વીના (પાથડા-ફલેટ જેવું) પછી ઘણા યોજને ઘનવાત આદિ આવે પછી બીજી પૃથ્વીના નારકના પાથડા આવે એમ સાત પૃથ્વી. તેમાં સાંકડી કુંભીઓમાં નારકીઓનો અતિ પીડાથી જન્મ થાય. ત્યાં અન્યોન્ય મારે કાપે, પરમાધામી દેવો તેઓને મારે કાપે, ક્ષેત્રની અતિ ઠંડી અતિ ગરમીની વેદનાઓ, ક્ષુધાતૃષાની દારૂણ વેદનાઓ આ જીવો પૂર્વના પાપના ઉદયે ભોગવે છે. માનવ સૃષ્ટિમાં મનાતો ચક્રવર્તી પણ પાપના યોગે આ ક્ષેત્રમાં જન્મે અને દારૂણ દુઃખ ભોગવે. અનેક પ્રકારના હિંસા, જુઠ, ચોરી જેવા અપકૃત્યોનું ફળ ભોગવવાનું આ સ્થાન છે. મિથ્યાદષ્ટિ મહા આરંભી, પરિગ્રહની મૂર્છાવાળો, ક્રોધાદિ કષાયોની તીવ્રતાવાળો, કૂર પરિણામવાળો, વિષય લોલુપ, આવા પરિણામવાળો નરકાયુ બાંધી તે તે નરકમાં ઉત્પન્ન થઈ દારૂણ દુઃખ ભોગવે છે. એ દુઃખમાંથી કોઈ છોડાવી શકતું નથી. આયુષ્યપણ દીર્ઘ અને નિકાચિત હોય છે. જીવ માત્ર આ સ્થાનમાં જઈ ચૂક્યો છે. પણ પાછો તે દુઃખોને ભૂલી જાય છે. અને પુનઃપુનઃ ત્યાં જન્મે છે. તેના નિવારણ માટે આ લોક ભાવનામાં લોકનું ચિંતન કરી કર્મનો ક્ષય કરવાનો ચિંતનયાત્રા -થાન ભાવન www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.004899
Book TitleGranthtraya Anushilan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year2010
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy